SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અંગઆગમ આ યજ્ઞો પર વિશ્વાસ રાખે છે તેઓ વારંવાર જન્મ-મરણ પ્રાપ્ત કરતા રહે છે. આ યજ્ઞો ઉપર વિશ્વાસ રખાવનારા તથા રાખનારા લોકોની સ્થિતિ આંધળાની આગેવાની નીચે ચાલનારા આંધળાઓ જેવી હોય છે. તેઓ અવિદ્યામાં ડૂબેલા રહે છે, પોતાની જાતને પંડિત સમજે છે અને જન્મ-મરણના ચક્કરમાં ઘૂમતા રહે છે. આ વિચારકો આટલું જ કહીને ચૂપ ન રહ્યા. તેઓએ ત્યાં સુધી કહ્યું કે જે રીતે નિષાદ કે લુંટારાઓ ધનવાનોને જંગલમાં લઈ જઈને પકડીને ખાડામાં ફેંકી દે છે અને તેમનું ધન લૂંટી લે છે તે જ રીતે ઋત્વિજો કે પુરોહિતો યજમાનોને ખાડામાં ખેંચીને (યજ્ઞાદિ દ્વારા) તેમનું ધન લૂંટી લે છે. આ ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનો વિકાસ નિરંતર થતો આવ્યો છે. જે પદ્ધતિઓ પુરાણી થઈ ગઈ અને નવા યુગના નવા સંશોધનોને અનુકૂળ ન રહી તે નાશ પામતી ગઈ તથા તેમને બદલે નવયુગાનુકૂળ નવીન પદ્ધતિઓ કે નવા વિચારો આવતા ગયા. જૈન પરંપરામાં પણ એ પ્રસિદ્ધ છે કે અહિત પાર્શ્વના સમયમાં સવસ્ત્ર શ્રમણોની પરંપરા હતી અને ચાતુર્યામ ધર્મ હતો. ભગવાન મહાવીરના સમયમાં નવું સંશોધન થયું અને અવસ્ત્ર શ્રમણોની પરંપરાને પણ સ્થાન મળ્યું. સાથોસાથ ચારને બદલે પાંચ યામ–પંચયામની પ્રથા શરૂ થઈ. આ રીતે શ્રત અર્થાતુ શાસ્ત્ર પરિવર્તનની અપેક્ષાએ સાદિ પણ છે તથા પ્રવાહની અપેક્ષાએ અનાદિ પણ છે. એ રીતે જેમ અમુક દૃષ્ટિએ વેદો નિત્ય છે, અવિનાશી છે, અનાદિ છે, અનંત છે, અપૌરુષેય છે તેવી જ રીતે જૈન શાસ્ત્રો પણ અમુક અપેક્ષાએ નિત્ય છે, અનાદિ છે, અનંત છે તેમ જ અપૌરુષેય છે. બૌદ્ધોએ તો પોતાના પિટકોની આદિ-અનાદિની કોઈ ચર્ચા જ નથી કરી. ભગવાન બુદ્ધ લોકોને સ્પષ્ટ કહ્યું કે જો તમને એમ જણાય કે આ શાસ્ત્રોથી અમારું હિત થાય છે તો તેમને માનવા, નહિ તો તેમનો આગ્રહ ન રાખવો. ૧. Hવા હેતે મઢી યજ્ઞ.....ઉતફૅયો વેડમિતિ મૂઠી નામૃત્યું તે પુનરેવાખ યાતિ - મુંડકોપનિષદ્ ૧.૨.૭. ૨. વિદ્યાયામન્તરે વર્તમાન સ્વયં ધીમી: પfuત મચના: ! दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथाऽन्धाः ॥ - કઠોપનિષદ્ ૧.૨.૫. 3. यथाह वा इदं निषादा वा सेलगा वा पापकृतो वा वित्तवन्तं पुरुषमरण्ये गृहित्वा कर्तमन्वन्य वित्तमादाय द्रवन्ति, एवमेव ते ऋत्विजो यजमानं कर्तमन्वस्य वित्तमादाय द्रवन्ति यमेवंविदो યાનથન્તિા - એતરેય બ્રાહ્મણ, ૮.૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy