SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રુત માનનારાઓની પ્રાચીન ચાલી આવનારી પરંપરા માટે સર્વથા નવી હતી. આમાં શ્રુતના વિષયમાં જે અનાદિત કે નિત્યત્વની કલ્પના કરવામાં આવી છે તે સ્વતઃપ્રામાણ્ય માનનારાઓની પ્રાચીન પરંપરાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. સાથે જ શ્રતનું જે આદિત્ય, અનિત્યત્વ અથવા પૌરુષેયત્વ સ્વીકારવામાં આવ્યું છે તે લોકોની પરીક્ષણશક્તિ, વિવેકશક્તિ તથા સંશોધનશક્તિને જાગ્રત કરવાની દૃષ્ટિથી જ, જેથી કોઈ આત્માર્થી “તાતણે પોડમિતિ કૂવાપ:' એમ કહીને પિતાના કૂવામાં પડે નહિ પરંતુ સાવધાન બની આગળ પગલાં ભરે. અનેકાંતવાદ, વિભજ્યવાદ અથવા સ્યાદ્વાદની સમન્વય-દષ્ટિ અનુસાર જૈનો ચાલી શકવા યોગ્ય પ્રાચીન વિચારધારાને ઠેસ પહોંચાડવા ઇચ્છતા ન હતા. તેઓ એ પણ ઇચ્છતા ન હતા કે પ્રાચીન વિચારસરણીના નામે વહેમ, અજ્ઞાન અથવા જડતાનું પોષણ થાય. એટલા માટે તેઓ પહેલાંથી જ પ્રાચીન વિચારધારાને સુરક્ષિત રાખવા સાથે ક્રાંતિના નવા વિચારો પ્રસ્તુત કરવામાં લાગ્યા. આ જ કારણ છે કે તેમણે અપેક્ષાભેદે શ્રુતને નિત્ય અને અનિત્ય બંને રૂપે માનેલ છે. શ્રુત સાદિ અર્થાત આદિયુક્ત છે, તેનું તાત્પર્ય એવું છે કે શાસ્ત્રમાં નિત્ય નવીનવી શોધોનો સમાવેશ થતો જ રહે છે. શ્રુત અનાદિ અર્થાત્ આદિરહિત છે, તેનું તાત્પર્ય એવું છે કે નવી નવી શોધોનો પ્રવાહ નિરંતર ચાલતો જ રહે છે. આ પ્રવાહ ક્યારે અને ક્યાંથી શરૂ થયો તે વિષયમાં કોઈ નિશ્ચિત કલ્પના કરી શકાતી નથી. એટલા માટે તેને અનાદિ અથવા નિત્ય કહેવું જ ઉચિત છે. આ નિત્યનો એવો અર્થ નથી કે હવે એમાં કોઈ નવી શોધ થઈ જ ન શકે. એટલા માટે શાસ્ત્રકારોએ શ્રતને નિત્ય અથવા અનાદિની સાથે સાથે જ અનિત્ય અથવા સાદિ પણ કહ્યું છે. એ રીતે ગહનતાપૂર્વક વિચાર કરવાથી જણાઈ આવશે કે કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ સમયે અક્ષરશઃ જેવું ને તેવું રહેતું નથી. તેમાં પરિવર્તનો થતાં જ રહે છે. નવાં નવાં સંશોધનો સામે આવતાં જ રહે છે. તે નિત્ય નવું નવું બનતું રહે છે. એ કહેવાઈ ચૂક્યું છે કે આપણા દેશનાં પ્રાચીનતમ શાસ્ત્રો વેદો અને અવેસ્તા છે. તેની પછી બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો અને જૈન તથા બૌદ્ધ પિટકો છે. તેમની પછી છે દર્શનશાસ્ત્રો. તેમાં સંશોધનનો પ્રવાહ સતત ચાલ્યો આવે છે. અવેસ્તા અથવા વેદ તથા બ્રાહ્મણોના સમયમાં જે અનુષ્ઠાન-પરંપરા સ્વર્ગપ્રાપ્તિનું સાધન ગણાતી હતી તે ઉપનિષદ વગેરેના સમયમાં પરિવર્તિત થવા લાગી અને ધીરે ધીરે નિંદનીય ગણાવા લાગી. ઉપનિષદોના વિચારકો કહેવા લાગ્યા કે આ યજ્ઞો તૂટેલી નૌકા જેવા છે. જે લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy