SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ અને સમવાયાંગ ચોત્રીસ ભવ અથવા એનાથી અધિક ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત નહિ કરે ? આ પ્રકારના સૂત્રો વિભાજનની શૈલીને દોષયુક્ત બનાવે છે અને અનેક પ્રકારની વિસંગતિ ઉત્પન્ન કરે છે. વિષય-સંબદ્ધતા : સંકલનાત્મક સ્થાનાંગ-સમવાયાંગમાં વસ્તુનું નિરૂપણ સંખ્યાની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. આથી તેના અભિધેયો—પ્રતિપાદ્ય વિષયોમાં પરસ્પર સંબદ્ધતા હોવી જરૂરી નથી. છતાં પણ વૃત્તિકારે ખેંચતાણ કરી એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે અમુક વિષય પછી અમુક વિષયનું કથન કેમ કરવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે પહેલા સૂત્રમાં જંબુદ્રીપ નામે દ્વીપનું કથન આવે છે અને પછીનાં સૂત્રમાં ભગવાન મહાવીર વિષયક. આ બંનેનો સંબંધ બતાવતાં વૃત્તિકાર કહે છે કે જંબુદ્રીપનું આ પ્રરૂપણ ભગવાન મહાવીરે કર્યું છે આથી જંબૂદ્વીપ પછી ભગવાન મહાવીરનું વર્ણન અસંબદ્ધ નથી. પહેલાંનાં સૂત્રમાં મહાવીરનું વર્ણન આવે છે અને પછીનાં સૂત્રમાં અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનાર દેવોનું વર્ણન. આ બંને સૂત્રોમાં સંબંધ સ્થાપિત કરતાં વૃત્તિકાર કહે છે કે ભગવાન મહાવીર નિર્વાણ પ્રાપ્ત કરી જે સ્થાનમાં રહે છે તે અને અનુત્તરવિમાન પાસે પાસે જ છે એટલે મહાવીરના નિર્વાણ પછી અનુત્તરવિમાનનું કથન સુસંબદ્ધ છે. આ રીતે વૃત્તિકારે બધા સૂત્રોની વચ્ચે અન્યોન્ય સંબંધ બેસાડવાનો ભરસક પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં શબ્દકોશના શબ્દોની માફક આ સૂત્રોમાં કોઈ અર્થસંબંધ નથી. સંખ્યાની દૃષ્ટિએ જે કોઈ વિષય સામે આવ્યો તે બધાનો તે સંખ્યાવાળા સૂત્રોમાં સમાવેશ કરી લેવામાં આવ્યો. વિષય-વૈવિધ્ય : સ્થાનાંગ અને સમવાયાંગ બંનેમાં જૈન પ્રવચન સંમત તથ્યોની સાથે સાથે જ લોકસંમત વાતોનું પણ નિરૂપણ છે. તેના કેટલાક નમૂના આ પ્રમાણે છે : - ૨૧૫ સ્થાનાંગ સૂ. ૭૧માં શ્રુતજ્ઞાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે ઃ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યના વળી બે ભેદ છે : આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકવ્યતિરિક્તના વળી પાછા બે પ્રકાર છે : કાલિક અને ઉત્કાલિક. અહીં ઉપાંગ નામના ભેદનો કોઈ ઉલ્લેખ નથી. આનાથી સિદ્ધ થાય છે કે આ ભેદ વિશેષ પ્રાચીન નથી. આ જ સૂત્રમાં અન્યત્ર કેવલજ્ઞાનના અવસ્થા, કાળ વગેરેની દૃષ્ટિએ અનેક ભેદ-પ્રભેદ કરવામાં આવ્યા છે. સર્વપ્રથમ કેવલજ્ઞાનના બે ભેદ બતાવાયા છે ઃ ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધ કેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે ઃ સયોગિભવસ્થ કેવલજ્ઞાન અને અયોગિભવસ્થ કેવલજ્ઞાન. સયોગિભવસ્થ કેવલજ્ઞાનના ફરી બે પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy