SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અંગઆગમ છે: પ્રથમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન અને અપ્રથમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન અથવા ચરમસમયસયોગિભવકેવલજ્ઞાન અને અચરમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન. એ જ રીતે અયોગિભવસ્થકેવલજ્ઞાનના પણ બે બે ભેદ સમજવા જોઈએ. સિદ્ધકેવલજ્ઞાન પણ બે પ્રકારનું છે : અંતરસિદ્ધકેવલજ્ઞાન અને પરંપરસિદ્ધકેવલજ્ઞાન. આ બંનેના વળી બે બે ભેદ કરવામાં આવ્યા છે. આ જ અંગના સૂ. ૭૫માં બતાવવામાં આવ્યું છે કે જે જીવોને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો હોય છે તેમનું શરીર અસ્થિ, માંસ અને રક્તથી નિર્મિત હોય છે. આ જ પ્રકારના જે જીવોને સ્પર્શન, રસના, ઘાણ આ ત્રણ ઇન્દ્રિયો અથવા સ્પર્શન, રસના, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હોય છે તેમનું શરીર પણ અસ્થિ, માંસ અને રક્ત વડે બનેલ હોય છે. જેમને શ્રોત્ર સહિત પાંચ ઇન્દ્રિય હોય છે તેમનું શરીર અસ્થિ, માંસ, રક્ત, સ્નાયુ અને શિરા વડે નિર્મિત હોય છે. સૂત્રકારના આ કથનની તપાસ પ્રાણીવિજ્ઞાનના આધારે કરી શકાય. સૂ. ૪૪૬માં રજોહરણના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. ઊનનું રજોહરણ, ૨. ઊંટના વાળનું રજોહરણ, ૩. શણનું રજોહરણ, ૪. બલ્વજ (એક પ્રકારનું ઘાસ)નું રજોહરણ, ૫. મુંજનું રજોહરણ. અત્યારે માત્ર પ્રથમ પ્રકારનું રજોહરણ જ ઉપયોગમાં લેવાય છે. - આ જ સૂત્રમાં નિગ્રંથો અને નિગ્રંથીઓ માટે પાંચ પ્રકારના વસ્ત્રોના ઉપયોગનો નિર્દેશ કરવામાં આવ્યો છે: ૧. જાંગમિક—ઊનનું, ૨. ભાંગિક–અળસીનું, ૩. શાણકશણનું, ૪. પોરિઅસૂતરનું, ૫. તિરીડવફ્ટવૃક્ષની છાલનું. વૃત્તિકારે આ વસ્ત્રોનું વિશેષ વિવેચન કર્યું છે અને બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓ માટે ઉત્સર્ગની દષ્ટિએ કપાસ અને ઊનનાં જ વસ્ત્રો ગ્રાહ્ય છે અને તે પણ બહુમૂલ્ય નહિ પરંતુ અલ્પમૂલ્ય. બહુમૂલ્યનું સ્પષ્ટીકરણ કરતાં વૃત્તિકારે લખ્યું છે કે પાટલિપુત્રમાં પ્રચલિત મુદ્રાના અઢાર રૂપિયાથી અધિક મૂલ્યનું વસ્ત્ર બહુમૂલ્ય સમજવું જોઈએ. પ્રવજ્યા : સૂ. ૩૫૫માં પ્રવ્રજ્યાના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે જે જોવાથી પ્રાચીન સમયના ધ્વજ્યાદાતાઓ અને પ્રવ્રયાગ્રહણકર્તાઓની પરિસ્થિતિનો કંઈક ખ્યાલ આવે છે. તેમાં પ્રવ્રયા ચાર પ્રકારની બતાવવામાં આવી છેઃ ૧. ઈહલોકપ્રતિબદ્ધા, ૨. પરલોકપ્રતિબદ્ધા, ૩. ઉભયલોકપ્રતિબદ્ધા, ૪. અપ્રતિબદ્ધા. ૧. માત્ર જીવનનિર્વાહ માટે વ્રજ્યા ગ્રહણ કરવી તે ઈહલોકપ્રતિબદ્ધા પ્રવ્રજયા છે. ૨. જન્માંતરમાં કામાદિ સુખોની પ્રાપ્તિ માટે પ્રવ્રયા લેવી તે પરલોકપ્રતિબદ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy