SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અંગઆગમ ગઈ છે, ઉપલબ્ધ પુસ્તકો અશુદ્ધ છે અને આ સૂત્રો અતિ ગંભીર છે. આવી સ્થિતિમાં તેમની વ્યાખ્યામાં મતભેદ થવાનો સંભવ છે. આ ગ્રંથની જે પદસંખ્યા દર્શાવવામાં આવી છે તે જોતાં એમ જણાય છે કે કાળ વગેરેના દોષના કારણે આ ગ્રંથ ઘણો જ નાનો બની ગયો છે. લેખન ઠીક ન હોવાને કારણે ગ્રંથ છિન્ન ભિન્ન થઈ ગયેલો જણાય છે. આવી સ્થિતિમાં તેની વ્યાખ્યા કરવા માટે તત્પર મારા જેવો દુર્બુદ્ધિ શું કરી શકે ? વળી યોગ્ય ગુરુનો વિરહ છે અર્થાત્ શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરનાર ઉત્તમ ગુરુની પરંપરા નાશ પામી છે. ગણધરોનાં વચનો છિન્નભિન્ન થઈ ગયાં છે. તે ખંડિત વચનોનો આધાર લઈને પ્રાચીન મુનિવરોએ શાસ્ત્રસંયોજના કરી છે. આથી સંભવ છે કે પ્રસ્તુત વ્યાખ્યામાં ક્યાંક અર્થ વગેરેમાં ભૂલ રહી ગઈ હોય. અભયદેવસૂરિને આ બંને ગ્રંથોની વ્યાખ્યા કરવામાં જે મુશ્કેલીનો અનુભવ થયો છે તેનું હૂબહૂ ચિત્રણ ઉપરોક્ત પદોમાં મળે છે. જે યુગમાં શાસ્ત્રોનાં પ્રામાણ્ય વિષયે શંકા હોવા છતાં પણ એક અક્ષર પણ બોલવો મુશ્કેલ હતો તે યુગમાં વૃત્તિકાર આથી વધુ શું લખી શકે? સ્થાનાંગ વગેરે જોવાથી એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે સમ્યગ્દષ્ટિવાળા ગીતાર્થ પુરુષોએ પૂર્વ પરંપરાથી ચાલી આવતી સૂત્રસામગ્રીમાં મહાવીરના નિર્વાણ પછી અત્રતત્ર વધઘટ કરી છે કે જેનો તેમને પૂરો અધિકાર હતો. ઉદાહરણ તરીકે સ્થાનાંગના નવમા અધ્યયનના ત્રીજા ઉદેશકમાં ભગવાન મહાવીરના નવ ગણોના નામો આવે છે. એ નામો આ પ્રમાણે છે : ગોદાસગણ, ઉત્તરબલિસ્સહગણ, ઉદ્દેહગણ, ચારણગણ, ઉડુવાતિતગણ, વિસ્મવાતિતગણ, કામઢિતગણ, માણવગણ અને કોડિતગણ. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ ગણોની ઉત્પત્તિ આ પ્રમાણે બતાવવામાં આવી છે : પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુના ચાર સ્થવિર શિષ્યો હતા જેમાંથી એકનું નામ ગોદાસ હતું. આ કાશ્યપગોત્રીય ગોદાસ સ્થવિરથી ગોદાસ નામક ગણની ઉત્પત્તિ થઈ. એલોવચ્ચ ગોત્રીય આર્ય મહાગિરિના આઠ સ્થવિર શિષ્યો હતા. તેમાંથી એકનું નામ ઉત્તરબલિસ્સહ હતું. તેમનાથી ઉત્તરબલિસ્સહ નામે ગણ નીકળ્યો. વાસિષ્ઠગોત્રીય આર્ય સુહસ્તીના બાર સ્થવિર શિષ્યો હતા, જેમાંથી એકનું નામ આયરોહણ હતું. આ જ કાશ્યપગોત્રીય રોહણથી ઉદેહગણ શરૂ થયો. એ જ ગુરુના શિષ્ય હારિતગોત્રીય સિરિગુત્તથી ચારણગણની ઉત્પત્તિ થઈ, ભારદ્વાજગોત્રીય ભજસથી ઉડવાડિયગણ ઉત્પન્ન થયો અને કુંડલ (કુંડલિ અથવા કુડિલ) ગોત્રીય કામ િસ્થવિરથી વેસવાડિયા ગણ નીકળ્યો. એ જ રીતે કાકંદી નગરી નિવાસી વાસિષ્ઠગોત્રીય ઇસિગુત્તથી માણવગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy