SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ચર્ચા છે. આ જ રીતે જીવના સિદ્ધત્વ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. કાર્તિક શેઠ : અંગઆગમ બીજા ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે વિશાખા નગરીના બહુપુત્રિક ચૈત્યમાં ભગવાન મહાવીર આવે છે. ત્યાં તેમને એમ પૂછવામાં આવે છે કે દેવેન્દ્ર-દેવરાજ શક્ર પૂર્વભવમાં કોણ હતો ? તેને શક્રનું પદ કેવી રીતે મળ્યું ? તેના ઉત્તરમાં હસ્તિનાપુરનિવાસી શેઠ કાર્તિકનો સંપૂર્ણ જીવનવૃત્તાંત બતાવવામાં આવેલ છે. તેણે શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું પાલન કરી દીક્ષા સ્વીકારી મૃત્યુ પછી શક્રપદ—ઇન્દ્રપદ મેળવ્યું હતું. આ ઘટના મુનિસુવ્રત તીર્થંકરના સમયની છે. માકંદી અનગાર ઃ ત્રીજા ઉદ્દેશકમાં ભગવાનના શિષ્ય સરળ સ્વભાવવાળા માકંદિકપુત્ર અથવા માકંદી અનગાર દ્વારા પૂછાયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરો છે. માકંદી અનગારે પોતાના અમુક વિચારો અન્ય જૈન શ્રમણો પાસે રજૂ કર્યા જે તે લોકોએ સ્વીકાર્યા નહિ. આ બાબતમાં ભગવાન મહાવીરે તેમને બતાવ્યું કે માકંદી અનગારના વિચારો બરાબર સાચા છે. યુગ્મ ઃ ચોથા ઉદ્દેશકમાં ગૌતમે યુગ્મની ચર્ચા કરી છે. યુગ્મ ચાર છે ઃ કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપર અને કલ્યોજ. યુગ્મ અને યુગમાં અર્થની દૃષ્ટિએ કોઈ અંતર નથી. વૈદિક પરંપરામાં કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ—આ ચાર યુગો પ્રસિદ્ધ છે. ઉપર્યુક્ત ચાર યુગ્મોની કલ્પનાનો આધાર આ જ ચાર યુગો જણાય છે. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં અંતે ચાર બાકી રહે તે રાશિ કૃતયુગ્મ કહેવાય છે. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં અંતમાં ત્રણ બચે તે રાશિને જ્યોજ કહે છે. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં બે બાકી રહે તેને દ્વાપર અને એક બાકી રહે તેને કલ્યોજ કહે છે. પુદ્ગલ ઃ છઠ્ઠા ઉદ્દેશકમાં ફણિત અર્થાત્ પ્રવાહિત (પાતળો) ગોળ, ભ્રમર, પોપટ, મજીઠ, હળદર, શંખ, કુષ્ઠ, મયદ, લીમડો, સૂંઠ, કોટ, આમલી, સાકર, વજ, માખણ, લોઢું, પત્ર, બરફ, અગ્નિ, તેલ વગેરેના રંગ, રસ, ગંધ અને સ્પર્શની ચર્ચા છે. આ બધા વ્યાવહારિક નયની અપેક્ષાએ મધુરતા અથવા કટુતા વગેરે યુક્ત છે. પરંતુ નૈશ્ચયિક નયની દૃષ્ટિએ પાંચેય રંગ, પાંચેય રસ, બંને ગંધ અને આઠેય સ્પર્શથી યુક્ત છે. પરમાણુ-પુદ્ગલમાં એક રંગ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ છે. એ જ રીતે દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, ચતુષ્પદેશિક, પંચપ્રદેશિક વગેરે પુદ્ગલો વિષયમાં ચર્ચા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy