SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧. વિ+જ્ઞા+ધ્યા+પ્ર+જ્ઞપ્તિ અર્થાત્ વિવિધ પ્રકારે સમગ્રપણે કથનનું પ્રકૃષ્ટ નિરૂપણ. જે ગ્રંથમાં કથનનું વિવિધ પ્રકારે સંપૂર્ણપણે પ્રકૃષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું હોય તે ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે : વિ વિવિધા:, આ અભિવિધિના, ધ્યા: જ્ઞાનાનિ ભાવતો महावीरस्य गौतमादिविनेयान् प्रति प्रश्नितपदार्थप्रतिपादनानि व्याख्याः ताः प्रज्ञाप्यन्ते प्ररूप्यन्ते भगवता सुधर्मस्वामिना जम्बूनामानमभि यस्याम् । ૨. વિ+જ્ઞા+પ્રજ્ઞપ્તિ અર્થાત્ વિવિધ પ્રકારે કથનનું પ્રજ્ઞાપન. જે શાસ્ત્રમાં વિવિધ રૂપે કથનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેનું નામ છે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ. વૃત્તિકારે આની વ્યાખ્યા આ રીતે કરી છે : વિ વિવિધતયા વિશેષળ વા આવ્યાયન્તે રૂતિ વ્યાવ્યા: ताः प्रज्ञाप्यन्ते यस्याम् । ૨૨૩ ૩. વ્યારા+પ્રજ્ઞા+માપ્તિ અથવા આત્તિ અર્થાત્ વ્યાખ્યાનની કુશળતાથી પ્રાપ્ત થનાર અથવા ગ્રહણ કરવામાં આવનાર શ્રુતવિશેષ વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ કહેવાય છે. ૪. વ્યાવ્યાપ્રજ્ઞ+ઞાતિ અથવા ઞત્તિ અર્થાત્ વ્યાખ્યાન કરવામાં પ્રજ્ઞ એટલે કુશળ ભગવાન દ્વારા ગણધરને જે ગ્રંથ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય અથવા કંઈક ગ્રહણ કરવાનો અવસર મળે તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ છે. વિવાહપ્રજ્ઞપ્તિની વ્યાખ્યા વૃત્તિકારે આ પ્રમાણે કરી છે : વિ+વાહ+પ્રજ્ઞપ્તિ અર્થાત્ વિવિધ પ્રવાહોનું પ્રજ્ઞાપન. જે શાસ્ત્રમાં વિવિધ અથવા વિશિષ્ટ અર્થપ્રવાહોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેનું નામ છે વિવાહપ્રજ્ઞપ્તિ-વિવાહપણત્તિ. એ રીતે વિબાધપ્રજ્ઞપ્તિનો અર્થ બતાવતાં વૃત્તિકારે લખ્યું છે કે વિ અર્થાત્ રહિત વાધ અર્થાત્ બાધા અને પ્રજ્ઞપ્તિ અર્થાત્ નિરૂપણ એટલે જે ગ્રંથમાં વાધારહિત અર્થાત્ પ્રમાણથી અબાધિત નિરૂપણ ઉપલબ્ધ થાય તેનું નામ વિબાધપ્રજ્ઞપ્તિ–વિબાહપણત્તિ છે. આ શબ્દોમાં પણ આત્તિ અને અત્તિ જોડીને પૂર્વવત્ અર્થ સમજી લેવો જોઈએ. ઉપલબ્ધ વ્યાખ્યા પ્રાપ્તિમાં જે શૈલી મળે છે તે ગૌતમના પ્રશ્નો અને ભગવાન મહાવીરના ઉત્તરો રૂપે છે. આ શૈલી અતિ પ્રાચીન જણાય છે. અચેલક પરંપરાના ગ્રંથ રાજવાર્તિકમાં ભટ્ટ અકલંકે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આ પ્રકારની શૈલી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ઃ વં ત્તિ વ્યાાપ્રજ્ઞપ્તિદ્વંકલેવુ રમ્......કૃતિ ગૌતમપ્રને મળવતા ગુત્તમ્ (અ. ૪, સૂ. ૨૬, પૃ. ૨૪૫). આ અંગના પ્રકરણોને ‘સવૅ’—‘શત’ નામ આપવામાં આવ્યું છે. જૈન પરંપરામાં શત શબ્દ પ્રસિદ્ધ જ છે. આ ‘શત’નું જ રૂપ છે. પ્રત્યેક પ્રકરણના અંતમાં ‘સયં સમત્તે’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy