SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) બીજા પુરુષની શોધ કરવા કહ્યું. આમાંથી એવો અણસાર મળે છે કે ભાઈ-બહેનનું પતિ-પત્ની બની રહેવું કોઈ કાળે સમાજમાં માન્ય હતું પરંતુ તે પ્રથા પ્રત્યે ઋગ્વદના સમયમાં અરુચિ સ્પષ્ટ જણાય છે. ઋગ્વદનો સમાજ ઋષભદેવકાલીન સમાજથી આગળ વધેલો છે – એમાં સંદેહ નથી. કૃષિ વગેરેનું તે સમાજમાં પ્રચલન સ્પષ્ટ છે. આ દૃષ્ટિએ જોવામાં આવે તો ઋષભદેવના સમાજનો કાળ ઋગ્વદથી પણ પ્રાચીન થઈ જાય છે. કેટલો પ્રાચીન તે કહેવું સંભવિત નથી, આથી તેની ચર્ચા કરવી નિરર્થક છે. જે રીતે જૈન શાસ્ત્રોમાં રાજપરંપરાની સ્થાપનાની ચર્ચા છે અને ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળની વ્યવસ્થા છે તેવી જ રીતે કાળની દૃષ્ટિએ ઉન્નતિ અને હાસનું ચિત્ર તથા રાજપરંપરાની સ્થાપનાનું ચિત્ર બૌદ્ધ પરંપરામાં પણ મળે છે. તે માટે દીઘનિકાયના ચક્કવત્તિસુત્ત (ભાગ ૩, પૃ. ૪૬) તથા અગ્ન...સુત્ત (ભાગ ૩, પૃ. ૬૩) જોવા જોઈએ. જૈન પરંપરાના કુલકરોની પરંપરામાં નાભિ અને તેમના પુત્ર ઋષભનું જે સ્થાન છે લગભગ તેવું જ સ્થાન બૌદ્ધ પરંપરામાં મહાસમ્મતનું છે (અચ્ચમ્મસુત્તદીધો અને સામયિક પરિસ્થિતિ પણ બંનેમાં લગભગ લગભગ સમાન રૂપે ચિત્રિત છે. સંસ્કૃતિના વિકાસનો તેને પ્રારંભકાળ કહી શકાય. આ બધાં વર્ણનો પૌરાણિક છે, તે જ તેમની પ્રાચીનતાનાં પ્રબળ પ્રમાણ ગણી શકાય. હિંદુ પુરાણોમાં ઋષભચરિતે સ્થાન મેળવ્યું છે અને તેમનાં માતા-પિતા મરુદેવી તથા નાભિનાં નામો પણ તે જ છે જે જૈન પરંપરા માને છે અને તેમનાં ત્યાગ અને તપસ્યાનું પણ તે જ રૂપ છે જેવું જૈન પરંપરામાં વર્ણિત છે. આશ્ચર્ય તો એ છે કે તેમને વેદવિરોધી માનવા છતાં પણ બુદ્ધની માફક વિષ્ણુના અવતારરૂપે માનવામાં આવ્યા છે.' આ એ વાતનું પ્રમાણ છે કે ઋષભનું વ્યક્તિત્વ પ્રભાવક હતું અને જનતામાં પ્રતિષ્ઠિત પણ. એમ ન હોત તો વૈદિક પરંપરામાં તથા પુરાણોમાં તેમને વિષ્ણુના અવતારરૂપે સ્થાન ન મળત. જેન પરંપરામાં તો તેમનું સ્થાન પ્રથમ તીર્થંકરના રૂપમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમની સાધનાનો ક્રમ યજ્ઞ ન હોતાં તપસ્યા છે – આ એ વાતનું પ્રમાણ છે કે તેઓ મુખ્યરૂપે શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ હતા. શ્રમણ પરંપરામાં યજ્ઞ દ્વારા દેવમાં નહિ પરંતુ પોતાના કર્મ દ્વારા પોતાનામાં વિશ્વાસ મુખ્ય છે. પં. શ્રી કૈલાશચંદ્ર શિવ અને ઋષભના એકીકરણની જે સંભાવના પ્રકટ કરી છે અને જૈન તથા શૈવ ધર્મનું મૂળ એક પરંપરામાં શોધવાનો જે પ્રયાસ કર્યો છે તે સર્વમાન્ય ૧. History of Dharmasastra, Vol. V, pt. II, p. 995; નૈ. સી. રૂ. પૂ., પૃ. ૨૨૦. ૨. નૈ. સી. . પૂ., પૃ. ૨૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy