SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) સામ્ય ધરાવે છે. વિશેષ વાત એ પણ ધ્યાન દેવાયોગ્ય છે કે આ ત્રણે અસુર છે અને એ વાત પણ આપણે જાણીએ છીએ કે પૌરાણિક માન્યતા અનુસાર અહંતોએ જે જૈન ધર્મનો ઉપદેશ આપ્યો છે તે વિશેષ કરીને અસુરોને માટે હતો. અર્થાત વૈદિક પૌરાણિક માન્યતા અનુસાર જૈન ધર્મ અસુરોનો ધર્મ છે. ઇશ્વરના અવતારોમાં જેવી રીતે ઋષભને અવતાર માનવામાં આવેલ છે તેવી જ રીતે સુપાર્શ્વને મહાભારતમાં કુપથ નામના અસુરના અંશાવતાર માનવામાં આવ્યા છે. ચંદ્રને પણ અંશાવતાર માનેલ છે. સુમતિ નામક અસુર માટે કહેવામાં આવ્યું છે કે વરુણ પ્રાસાદમાં તેમનું સ્થાન દૈત્યો અને દાનવોમાં હતું. તથા એક સુમતિ નામના ઋષિનો પણ મહાભારતમાં ઉલ્લેખ છે જેને ભીષ્મના સમકાલીન બતાવવામાં આવ્યા છે. જે રીતે ભાગવતમાં ઋષભને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે તેવી જ રીતે અવતારના રૂપમાં તો નહિ પરંતુ વિષ્ણુ અને શિવનાં જે સહસ્ત્ર નામો મહાભારતમાં આપવામાં આવ્યાં છે તેમાં શ્રેયસ, અનંત, ધર્મ, શાંતિ અને સંભવ–આ નામો વિષ્ણુનાં પણ છે અને એવાં જ નામો જૈન તીર્થકરોનાં પણ મળે છે. સહસ્ત્ર નામોના અભ્યાસથી એમ માલુમ પડે છે કે પૌરાણિક મહાપુરુષોનો અભેદ વિષ્ણુ સાથે અને શિવ સાથે કરવો–એ પણ તેનું એક પ્રયોજન હતું. પ્રસ્તુતમાં આ નામોથી જૈન તીર્થકરો અભિપ્રેત છે કે નહિ તે વિચારણીય છે. શિવના નામોમાં પણ અનંત, ધર્મ, અજિત, ઋષભઆ નામો આવે છે જે તે તે તીર્થકરોનાં નામો પણ છે. શાંતિ વિષ્ણુનું પણ નામ છે એ પહેલાં જ કહેવામાં આવ્યું છે. મહાભારત અનુસાર તે નામના એક ઈન્દ્ર અને ઋષિ પણ થયા છે. તેમનો સંબંધ શાંતિ નામે જૈન તીર્થંકર સાથે છે કે નહિ તે વિચારણીય છે. વીસમા તીર્થંકરના નામ મુનિસુવ્રતમાં મુનિને સુવ્રતનું વિશેષણ માનવામાં આવે તો સુવ્રત નામ રહે છે. મહાભારતમાં વિષ્ણુ અને શિવનું પણ એક નામ સુવ્રત મળે છે. નામસામ્ય ઉપરાંત જે આ મહાપુરુષોનો સંબંધ અસુરો સાથે જોડવામાં આવે છે તે એ વાત માટેતો પ્રમાણ બને જ છે કે તેઓ વેદવિરોધી હતા. તેમનું વેદવિરોધી હોવું તેઓ શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ હોવાની સંભાવનાને દઢ કરે છે. આગમોનું વર્ગીકરણ: સાંપ્રત સમયમાં આગમરૂપે જે ગ્રંથો મળે છે અને માન્ય છે તેમની યાદી નીચે આપવામાં આવે છે. તેમનું વર્ગીકરણ કરીને આ સૂચિ આપી છે કેમ કે ઘણુંખરું તે જ રૂપમાં વર્ગીકરણ સાંપ્રત સમયમાં માન્ય છે – 9. Cazda zul alè gall - Prof. Kapadia-A History of the Canonical Literature of the Jainas, Chap. II. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy