SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ ૧૯૫ સ્વરૂપ, કર્મનાશનો ઉપાય, રાગ-દ્વેષરહિતતા, જ્ઞાની પુરુષોનું નેતૃત્વ, બુદ્ધત્વ, અંતકરત્વ, સર્વત્ર સમભાવ, મધ્યસ્થવૃત્તિ, ધર્મપ્રરૂપણા, ક્રિયાવાદપ્રરૂપકત્વ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. માથાતથ્યઃ તેરમા અધ્યયનનું નામ આહત્તહિય-યાથાતથ્ય છે. એમાં ૨૩ ગાથાઓ છે. માથાતથ્યનો અર્થ છે યથાર્થ-વાસ્તવિક–પરમાર્થ-જેવું છે તેવું. આ અધ્યયનની પ્રથમ ગાથામાં જ આહત્તહિય–આધત્તધિજ્જ જાથાતથ્ય શબ્દનો પ્રયોગ થયો છે. અધ્યયનના નામ પરથી તો એમ માલૂમ પડે છે કે તેમાં કોઈ વ્યાપક વસ્તુનું વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ વાત એવી નથી. તેમાં શિષ્યના ગુણ-દોષોની વાસ્તવિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શિષ્યો કેવી રીતે વિનયી બને છે અને કેવી રીતે અવિનયી બને છે, કેવી રીતે અભિમાની બને છે અને કેવી રીતે સરળ બને છે, કેવી રીતે ક્રોધી બને છે અને કેવી રીતે શાંત બને છે, કેવી રીતે કપટી બને છે અને કેવી રીતે સરળ બને છે, કેવી રીતે લોભી બને છે અને કેવી રીતે નિસ્પૃહ બની રહે છે–આ બધું પ્રસ્તુત અધ્યયનમાં વર્ણવાયું છે. ગ્રંથ અર્થાત્ પરિગ્રહઃ ચૌદમા અધ્યયનનું નામ ગ્રંથ છે. નિર્યુક્તિ વગેરે અનુસાર ગ્રંથનો સામાન્ય અર્થ પરિગ્રહ થાય છે. ગ્રંથ બે પ્રકારનો છે : બાહ્ય ગ્રંથ અને આત્યંતર ગ્રંથ. બાહ્ય ગ્રંથના મુખ્ય દસ પ્રકારો છે: ૧. ક્ષેત્ર, ર.વાસ્તુ, ૩, ધન-ધાન્ય, ૪. જ્ઞાતિજનો અને મિત્રો, ૫. વાહન, ૬. શયન, ૭. આસન, ૮. દાસી, ૯. દાસ, ૧૦. વિવિધ સામગ્રી. આ દસ પ્રકારના બાહ્ય ગ્રંથોમાં મૂચ્છ રાખવી તે જ વાસ્તવિક ગ્રંથ છે. આત્યંતર ગ્રંથના મુખ્ય ચૌદ પ્રકારો છે: ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ, ૫. સ્નેહ, ૬. દ્વેષ, ૭. મિથ્યાત્વ, ૮. કામાચાર, ૯. સંયમમાં અરુચિ, ૧૦. અસંયમમાં રુચિ, ૧૧. વિકારી હાસ્ય, ૧૨. શોક, ૧૩. ભય, ૧૪. ધૃણા. જે બંને પ્રકારના ગ્રંથોથી રહિત છે એટલે કે જેમને બંને પ્રકારના ગ્રંથોમાં રુચિ નથી તથા જે સંયમમાર્ગની પ્રરૂપણા કરનારા આચારાંગ વગેરે ગ્રંથોનું અધ્યયન કરનારા છે તેઓ શૈક્ષ અથવા શિષ્ય કહેવાય છે. શિષ્યો બે પ્રકારના હોય છે. દીક્ષાશિષ્ય અને શિક્ષાશિષ્ય. દીક્ષા આપીને બનાવવામાં આવેલ શિષ્ય દીક્ષાશિષ્ય કહેવાય છે. એ જ રીતે શિક્ષા આપીને અર્થાત સૂત્ર વગેરે શીખવીને બનાવાયેલ શિષ્ય શિક્ષાશિષ્ય કહેવાય છે. આચાર્ય અર્થાતુ ગુરુના પણ શિષ્યની માફક જ બે ભેદ છે : દીક્ષા આપનાર ગુરુ-દીક્ષાગુરુ અને શિક્ષા આપનાર ગુરુ-શિક્ષાગુરુ. પ્રસ્તુત અધ્યયનમાં એ બતાવવામાં આવ્યું છે કે આ પ્રકારના ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy