SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ અંગઆગમ નૌકાસંબંધી બધી સાધનસામગ્રીનો વિસ્તારથી પરિચય આપવામાં આવ્યો છે. આ નવમા અધ્યયનમાં સમુદ્રમાં ડૂબતી નાવનું જે વર્ણન છે તે કાદંબરી જેવા ગ્રંથમાં મળતા ડૂબતી નાવના વર્ણન સાથે ઘણુંબધું મળતું આવે છે. આ વર્ણન કાવ્યશૈલીનો સુંદર નમૂનો છે. દસમા તથા અગિયારમા અધ્યયનની કથાઓ ઉપદેશપ્રદ છે. ઉદકજ્ઞાત: બારમા અધ્યયન ઉદકજ્ઞાતમાં ગટરના ગંદા પાણીને સાફ કરવાની પદ્ધતિ બતાવવામાં આવી છે. આ પદ્ધતિ હાલની ફિલ્ટર પદ્ધતિ સાથે મળતી આવે છે. આ કથાનકનો આશય એવો છે કે પુગલના અશુદ્ધ પરિણામોની ધૃણા કરવાની જરૂર નથી. તેરમા અધ્યયનમાં નંદ મણિયારની કથા આવે છે. તેમાં લોકોના આરામ માટે નંદ મણિયારે પુષ્કરિણી–વાવ બનાવી તેની અત્યંત રોચક કથા છે અને સાથે સાથે ચાર બગીચા બનાવી તેમાંથી એક બગીચામાં ચિત્રસભા અને લોકોનો શ્રમ દૂર કરવા માટે સંગીતશાળા તથા બીજામાં જલયંત્રો-ફુવારાથી શોભતી પાકશાળા, ત્રીજા બગીચામાં એક મોટું ઔષધાલય અને ચોથા બગીચામાં સામાન્ય જનતા માટે એક આલંકારિક સભા બનાવવામાં આવી હતી. આ કથામાં રોગોના નામો તથા તેમના ઉપચાર માટે વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. - ચૌદમા તેયલિ અમાત્યના અધ્યયનમાં જે વાતો મળે છે તે આવશ્યકચૂર્ણિમાં પણ બતાવવામાં આવી છે. વિવિધ મતાનુયાયીઓઃ નંદીફલ નામના પંદરમા અધ્યયનમાં એક સંઘની સાથે વિવિધ મતવાળાઓના પ્રવાસનો ઉલ્લેખ છે. તે મતવાળાઓના નામો આ પ્રમાણે છે : ચરક–ત્રિદંડી અથવા કચ્છધારી-કૌપીનધારીતાપસ. ચીરિક–શેરીમાં પડેલા ચીંથરાઓમાંથી કપડાં બનાવી પહેરનાર સંન્યાસી. ચર્મખંડિક-ચામડાંના વસ્ત્રો પહેરનાર અથવા ચામડાંના ઉપકરણો રાખનાર સંન્યાસી. ભિÚડ–ભિક્ષુક અથવા બૌદ્ધભિક્ષુક. પંડુરંગ–શિવભક્ત અર્થાત શરીર પર ભસ્મ લગાડનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy