SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) लिखितं पत्रकपुस्तकलिखितम् । अथवा 'पोत्थय'ति पोतं वस्त्रं पत्रकाणि च पोतं च, तेषु लिखितं पत्रकपोतलिखितं ज्ञशरीरभव्यशरीर-व्यतिरिक्तं द्रव्यश्रुतम्। अत्र च पत्रकादिलिखितस्य કૃતસ્ય બાવકુતરાત્વત્ દ્રવ્યશ્રુતત્વમેવ વયમ્ !” પૃ.૩૪. આ શ્રુતચર્ચામાં અનુયોગદ્વારને ભાવકૃતરૂપે કયું શ્રુત વિવક્ષિત છે તે પણ આગળની ચર્ચાથી સ્પષ્ટ થઈ જાય છે. આગળ લોકોત્તર નોઆગમ ભાવકૃતના ભેદમાં તીર્થંકરપ્રણીત દ્વાદશાંગ ગણિપિટક આચાર વગેરેને ભાવભૃતમાં ગણેલ છે. આથી શંકાને કોઈ સ્થાન ન રહેવું જોઈએ અને તે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અનુયોગદ્વારના સમયમાં આચાર વગેરે પુસ્તકરૂપમાં લખાવા લાગ્યાં હતાં. અંગ આગમો પુસ્તકમાં લખવામાં આવતાં હતાં પરંતુ પઠન-પાઠન પ્રણાલીમાં તો ગુરુમુખેથી જ વાચના લેવી જોઈએ એવો નિયમ હતો. તેનો ભંગ કરવાનું સારું ન ગણાતું. આથી પ્રથમ ગુરુમુખે ભણી પુસ્તકમાં લેખન કે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે એવું અનુમાન થાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં વાચનાના શિક્ષિત વગેરે ગુણોનાં વર્ણનમાં આચાર્ય જિનભદ્ર “ગુરુવીયન વાય’—ગુરુવચનોપગતનું સ્પષ્ટીકરણ કર્યું છે કે “આ વોરિતં પત્થયાતો વા'—ગા ૦ ૮૫૨. તેની સ્વકૃત વ્યાખ્યામાં લખ્યું છે કે ગુરુનિર્વાવિત, ન ઘર્યા ધારિત, સ્વતંત્રે વાડધીતં પુત”—વિશેષા સ્વોપજ્ઞ વ્યાખ્યા ગાઠ ૮૫ર. આનું તાત્પર્ય એ છે કે ગુરુ કોઈ બીજાને ભણાવતા હોય અને તે ચોરીથી સાંભળીને કે પુસ્તકમાંથી શ્રતનું જ્ઞાન લેવું તે ઉચિત નથી. તે તો ગુરુમુખ દ્વારા તેમની સંમતિથી સાંભળીને જ લેવું જોઈએ. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે અનુયોગદ્વારની પહેલાં ગ્રંથો લખવામાં આવતા પરંતુ તેમનું પઠન સર્વપ્રથમ ગુરુમુખે થવું જરૂરી હતું. આ પરંપરા જિનભદ્ર સુધી તો માન્ય હતી જ એમ પણ કહી શકાય. ગુરુમુખે સાંભળીને પોતાની સ્મૃતિનો ભાર હળવો કરવા માટે કંઈક નોંધરૂપ (ટિપ્પણરૂપ) આગમો પ્રારંભમાં લખવામાં આવતા હશે. આ પણ કારણ છે કે તેનું મૂલ્ય એટલું ન હોઈ શકે જેટલું મૃતધરની સ્મૃતિમાં રહેલા આગમોનું હોય. આ બધાં અનુમાનો જ છે. પરંતુ જ્યારે આગમો પુસ્તકોમાં લખવામાં આવ્યાં હતાં છતાં પણ વાચનાઓનું મહત્ત્વ માનવામાં આવ્યું, ત્યારે તેનાથી એ જ અનુમાન થઈ શકે છે જે સત્યની નજીક છે. ગુરુમુખ દ્વારા વાચનામાં જે આગમ મળે તે જ આગમ પરંપરાગત કહેવાશે. પુસ્તક દ્વારા ભણીને મેળવેલ જ્ઞાન, કે પુસ્તકમાં લખેલ આગમ એટલું પ્રમાણભૂત નહિ માનવામાં આવે જેટલું ગુરુમુખ દ્વારા ભણેલ. આ જ ગુરુપરંપરાની વિશેષતા છે. આથી પુસ્તકમાં જે કંઈ પણ લખાયેલું હોય પરંતુ મહત્ત્વ તો તેનું છે કે જે વાચકની સ્મૃતિમાં હોય. આથી પુસ્તકોમાં લિખિત હોવા છતાં પણ તેનાં પ્રામાણ્યને જો મહત્ત્વ ન મળ્યું તો તેનું મૂલ્ય પણ ઓછું થયું. આ જ કારણે પુસ્તકમાં લખાયેલા ૧. અનુયોગદ્વાર - સૂત્ર ૪૨, પૃ. ૩૭ અ. ૨. અનુયોગદ્વારમાં શિક્ષિત, સ્થિત, જિન વગેરે ગુણોનો નિર્દેશ છે. તેમની વ્યાખ્યા જિનભદ્ર કરી છે. -અનુ. સૂ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy