SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રુત ૭૩ નંદિસૂત્રકારે સમ્યફશ્રુતસંબંધી ઉપર્યુક્ત કથનમાં વાંચનાર, સાંભળનાર અથવા સમજનારની વિવેકદૃષ્ટિ પર વિશેષ ભાર મૂક્યો છે. તાત્પર્ય એ છે કે જે સમ્યક્દષ્ટિસંપન્ન હોય છે તેના માટે પ્રત્યેક શાસ્ત્ર સમ્યફ હોય છે. તેનાથી વિપરીત દષ્ટિવાળાને માટે પ્રત્યેક શાસ્ત્ર મિથ્યા હોય છે. દૂધ સાપ પણ પીવે છે અને સજ્જન પણ, પરંતુ પોતપોતાના સ્વભાવ અનુસાર તેનું પરિણામ જુદું જુદું આવે છે. સાપના શરીરમાં તે દૂધ વિષ બને છે જયારે સજ્જનના શરીરમાં તે જ દૂધ અમૃત બને છે. આ જ વાત શાસ્ત્રો માટે પણ સાચી છે. સમ્યક્દષ્ટિનો અર્થ જૈન અને મિથ્યાષ્ટિનો અર્થ અજૈન નથી. જેના ચિત્તમાં શમ, સંવેગ, નિર્વેદ, કરુણા તથા આસ્તિક્ય – આ પાંચ વૃત્તિઓનો પ્રાદુર્ભાવ થયો હોય અને આચરણ પણ તદનુસાર હોય તે સમ્યક્દષ્ટિ છે. જેના ચિત્તમાં આમાંથી એક પણ વૃત્તિનો પ્રાદુર્ભાવ ન થયો હોય તે મિથ્યાષ્ટિ છે. આ વાત પારમાર્થિક દૃષ્ટિએ જૈન પ્રવચન-સંમત છે. સાદિક, અનાદિક, સપર્યવસિત અને અપર્યવસિત શ્રુતઃ આચાર્ય દેવવાચકે નંદિસૂત્રમાં બતાવ્યું છે કે શ્રુત આદિસહિત પણ છે અને આદિરહિત પણ. એ જ રીતે શ્રત અંતયુક્ત પણ છે અને અંતરહિત પણ. સાદિક અર્થાત્ આદિયુક્ત શ્રુત તે છે જેનો પ્રારંભ અમુક સમયે થયો હોય. અનાદિક અર્થાત્ આદિરહિત શ્રુત તે છે જેનો પ્રારંભ કરનાર કોઈ જ ન હોય અર્થાત્ જે હંમેશાથી ચાલ્યું આવ્યું હોય. સપર્યવસિત અર્થાત્ સાંતશ્રુત તે છે જેનો અમુક સમયે અંત અર્થાત વિનાશ થાય છે. અપર્યવસિત અર્થાત્ અનંતશ્રુત તે છે જેનો ક્યારેય અંત – વિનાશ નથી થતો. ભારતમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર વેદ અને અવેસ્તા છે. વેદોના વિષયમાં મીમાંસકોનો મત એવો છે કે તે કોઈએ બનાવ્યા નથી પરંતુ તે અનાદિકાળથી એ જ રીતે ચાલ્યા આવી રહ્યા છે. આથી તે સ્વત:પ્રમાણભૂત છે અર્થાતુ તેમની સચ્ચાઈ કોઈ વ્યક્તિવિશેષના ગુણો પર આધારિત નથી. અમુક પુરુષે વેદ બનાવ્યા છે તથા તે પુરુષ વીતરાગ છે, સર્વજ્ઞ છે, અનંત જ્ઞાની છે અથવા ગુણોના સાગર છે એટલા માટે વેદ પ્રમાણભૂત છે એવી વાત નથી. વેદ અપૌરુષેય છે અર્થાત્ કોઈ પુરુષવિશેષ દ્વારા પ્રણીત નથી. એ જ રીતે અમુક કાળે તેમની ઉત્પત્તિ થઈ છે એવી વાત પણ નથી. એટલા માટે તે અનાદિ છે. અનાદિ હોવાને કારણે તે પ્રમાણભૂત છે. વેદોની રચનામાં અનેક પ્રકારના શબ્દો પ્રયુક્ત થયા છે. જે રીતે તેમાં આર્ય શબ્દો છે તે જ રીતે અનાર્ય શબ્દો પણ છે. જે આ બંને પ્રકારના શબ્દોનો અર્થ બરાબર જાણે અને સમજે છે તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy