SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અંગઆગમ છે. આમ તો આ ઉપસર્ગો ગણી ન શકાય એટલા હોય છે, છતાં પણ પ્રસ્તુત અધ્યયનમાં એમાંથી કેટલાક પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો ગણાવવામાં આવ્યા છે. આનાથી આ વિઘ્નોની પ્રકૃતિની જાણ થઈ શકે છે. સાચો સાધક આ પ્રકારના ઉપસર્ગોને જીતીને વીતરાગ અથવા સ્થિતપ્રજ્ઞ બને છે. આ જ સંપૂર્ણ અધ્યયનનો સાર છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં ૧૭ ગાથાઓ છે, જેમાં ભિક્ષાવૃત્તિ, ટાઢ, તાપ, ભૂખ, તરસ, ડાંસ, મચ્છ૨, અસ્નાન, અપમાન, પ્રતિકૂળ શય્યા, કેશલોચ, આજીવન બ્રહ્મચર્ય વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે. મનુષ્યને જ્યાં સુધી સંગ્રામમાં જેને જીતવાનું છે તેના બળનો અંદાજ નથી હોતો ત્યાં સુધી તે પોતાને શૂરવીર સમજે છે અને કહે છે કે એમાં શું ? એને તો હું એક ચપટીમાં ચોળી નાખીશ. મારી સામે તે તો એક મચ્છર છે. પરંતુ જ્યારે શત્રુ સામે આવે છે ત્યારે તેના હોશ ઊડી જાય છે. સૂત્રકારે આ તથ્ય સમજાવવા માટે શિશુપાલ અને કૃષ્ણનું ઉદાહરણ આપ્યું છે. અહીં કૃષ્ણ માટે ‘મહારથ’ શબ્દનો પ્રયોગ થયો છે. ચૂર્ણિકારે મહારથનો અર્થ કેશવ (કૃષ્ણ) કર્યો છે. સાધક માટે ઉપસર્ગોને જીતવાનું એટલું જ મુશ્કેલ છે જેટલું શિશુપાલ માટે કૃષ્ણને જીતવાનું. ઉપસર્ગોની લપેટમાં આવનાર ઢીલા-પોચા વ્યક્તિની તો શ્રદ્ધા જ ખતમ થઈ જાય છે. જે રીતે નિર્બળ સ્ત્રી પોતાની ઉપર આપત્તિ આવે ત્યારે પોતાના મા-બાપ અને પિયરના લોકોને યાદ કરે છે તે જ રીતે નિર્બળ સાધકો પોતાની ઉપર ઉપસર્ગોનું આક્રમણ થતાં પોતાની રક્ષા માટે સ્વજનોને યાદ કરવા માંડે છે. બીજા ઉદ્દેશકમાં ૨૨ ગાથાઓ છે. તેમાં સ્વજનો અર્થાત્ માતા-પિતા, ભાઈબહેન, પુત્ર-પુત્રી, પતિ-પત્ની વગેરે દ્વારા થનારા ઉપસર્ગોનું વર્ણન છે. આ ઉપસર્ગો પ્રતિકૂળ નહિ પરંતુ અનુકૂળ હોય છે. જે રીતે સાધક પ્રતિકૂળ ઉપસર્ગોથી ભયભીત બની પોતાનો માર્ગ છોડી શકે છે તે જ રીતે અનુકૂળ ઉપસર્ગોના આકર્ષણને કા૨ણે પણ પથભ્રષ્ટ બની શકે છે. આ તથ્ય સમજાવવા માટે અનેક ઉપમાઓ આપવામાં આવી છે. તૃતીય ઉદ્દેશકમાં બધી મળી ૨૧ ગાથાઓ છે. આમાં એ પ્રકારના ઉપસર્ગોનું વર્ણન છે જે નિર્બળ મનવાળા શ્રમણોની વાસના દ્વારા પેદા થાય છે અને અન્યમતના લોકોના આક્ષેપોને પાત્ર થાય છે. નિર્બળ ભિક્ષુના મનમાં કેવા પ્રકારના સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે તેનું યથાર્થ ચિત્રણ પ્રસ્તુત ઉદ્દેશકમાં છે. બુદ્ધિમાન ભિક્ષુઓ આ બધા સંકલ્પ-વિકલ્પોથી ઉપર ઊઠી પોતાના માર્ગમાં સ્થિર રહે છે, જ્યારે અજ્ઞાની અને મૂઢ ભિક્ષુઓ પોતાના માર્ગથી સ્ખલિત થઈ જાય છે. આ ઉદ્દેશકમાં આવતા અન્યમતવાદીઓથી ચૂર્ણિકાર અને વૃત્તિકા૨નું તાત્પર્ય આજીવિકો અને દિગંબર પરંપરાના ભિક્ષુઓ સાથે છે. (આલીવિપ્રાયા: અન્યતીથિજા:, લોહિતાચૂર્ણિ) જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy