________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘પરંતુ દુનિયાના લોકોને કેવી રીતે સમજાવવા?' શ્રીમતી બોલી.
‘દુનિયાના લોકોને તો હજુ સમજાવાય, પરંતુ ઘરના લોકોને કેવી રીતે સમજાવવા આ લોકો જ...’ કાન્તિમતી બોલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સાચી વાત છે તારી, મને તો એમ લાગે છે કે સાધ્વીજીના તપ પ્રભાવથી કોઈ ચમત્કાર થશે જ... અને હાર પાછો મળી જશે!' શ્રીમતી બોલી.
‘ત્યાં સુધી આપણે શાન્તિ રાખવી પડશે ને?’ કાન્તિમતી બોલી.
'બીજો કોઈ માર્ગ મને સૂઝતો નથી. ગઈ કાલે ઉપાશ્રયમાં પ્રવર્તિની સાધ્વીજીએ પણ આ જ વાત કરી હતી,’ શ્રીમતી બોલી.
‘પ્રવર્તિની ખૂબ વ્યથિત હતાં...' કાન્તિમતી બોલી.
‘તમને દુઃખ છે, લોકો ધર્મની નિન્દા કરે છે, એનું...' શ્રીમતી બોલી,
લોકોનો તો આ ધંધો છે, નિંદા કરવાનો. લોકોની વાતો પર ધ્યાન આપવાની જરૂર જ નથી...' કાન્તિમતી બોલી.
‘લોકોની વચ્ચે રહેવાનું એટલે લોકોનું સાંભળવું તો પડે જ ને?' શ્રીમતી બોલી. બંને બહેનોને સાધ્વીજી પ્રત્યે (મારા પ્રત્યે) ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ બંને ઉપાશ્રયમાં આવીને, મને આશ્વાસન આપતી હતી...
એક દિવસ એ બંનેનો વિશ્વાસ ફળ્યો! નાના ભાઈ સાગરે પ્રત્યક્ષ જોયું કે ભીંત ઉપરનો ચિત્રનો મોર પ્રગટ થયો અને છાબડીમાં હાર કાઢીને મૂકી દીધો! એ જ મોર મારી હાજરીમાં એ હાર ગળી ગયો હતો!
મારું પૂર્વજન્મનું પાપકર્મ ભોગવાઈ જતાં, પેલા વાણવ્યંતરદેવે પુનઃ ચિત્રના મોરમાં પ્રવેશ કર્યો અને હાર જ્યાં હતો ત્યાં મૂકી દીધો...'
કેવળજ્ઞાની સાધ્વીજીનો વૃત્તાંત સાંભળીને, પર્ષદા વિસ્મય પામી. મહારાજા અમરસેને કહ્યું: ‘ખરેખર, ભગવતી સાધ્વીજીએ મહાભયંકર દુ:ખનો અનુભવ કર્યો.' બંધુદેવ પણ બોલ્યો: ‘ભગવતીનાં દુઃખોમાં હું પણ નિમિત્ત બન્યો છું. ધોર પાપકર્મ મેં બાંધ્યાં છે...'
સાધ્વીજીએ કહ્યું: ‘મેં સહન કરેલાં દુ:ખો તો નગણ્ય છે. તિર્યંચગતિ અને નરકગતિનાં જે તીવ્ર દુઃખો છે એની તુલનામાં મારાં... મેં સહન કરેલાં દુ:ખો કોઈ વિસાતમાં નથી. મનુષ્યગતિનાં જન્મ, જરા અને મૃત્યુનાં જે દુ:ખો છે, એ પણ ભયાનક છે...
૧૦૨૨
ભોગસુખો ખરેખર સુખો નથી; એ તો માત્ર સુખનો આભાસ છે... માટે તો તીર્થંકર ભગવંતોએ માનવીય ભોગસુખોને હેય બતાવ્યાં અને એ સુખોનો ત્યાગ
ભાગ-૩ * ભવ સાતમો
For Private And Personal Use Only