________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજર્ષિ કીર્તિધર ‘ધાવમાતાએ રાજમાતાની અટ્ટાલિકા તરફ અંગારઝરતી દૃષ્ટિ નાંખી. રાજમાતાના મુખ પર જરાયે શોક કે અફસોસ ન હતો, બલકે સંતોષ અને આનંદ તરવરી રહ્યો હતો.
પીઢ અને અનુભવી ધાવમાતા થોડીક ક્ષણોમાં સમગ્ર પરિસ્થિતિને કળી ગઈ. તેની આંખમાંથી આંસુ વાટે રોષ નીતરી ગયો. તે શોકાતુર મુખે અને આંસુઝરતી આંખે પોતાના મહેલમાં પ્રવેશી.
સામે જ મહારાજા સુકોશલ ભેટી ગયા. “અરે, આ શું માતા?” મહારાજાના સુકોમળ મુખ પર ચિંતા ઊપસી આવી, બેટા, તારા રાજ્યમાં ઘોર અન્યાય થઈ રહ્યો છે, ધાવમાતાએ કહી દીધું.
એવું તે શું બન્યું? “તું શું કરી શકીશ?” પરન્ત...' કંઈ નહિ કરી શકે. ખુદ રાજમાતા અન્યાય કરી રહ્યાં છે.” મને કંઈ નથી સમજાતું. તમે સ્પષ્ટ વાત કરો.' રાજર્ષિ કીર્તિધર અયોધ્યામાં પધાર્યા હતા.” હં? ક્યારે? ક્યાં છે?” અધીર ન થા. રાજમાતાએ તેમને જોયા.' “પછી?” કોટવાલને બોલાવી તેમને નગર બહાર કઢાવી દીધા....” ‘હું? સુકોશલના મુખ પર વિષાદ અને રોષ, ચિંતા અને ઉત્સુકતા જેવા અનેક ભાવો આવી ગયા.
પણ તેમણે શા માટે આમ કર્યું? ‘તું એમનાં દર્શન કરે તો તું પણ ચારિત્ર લઈ લે, એ ભય લાગ્યો.” ધાવમાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
મહારાજ સુકોશલ દોડતા મહેલની બહાર આવ્યા. બહાર અને તૈયાર ઊભેલો હતો. તરત જ અશ્વારૂઢ બની મહારાજાએ અશ્વને નગર બહાર હંકારી મૂક્યો.
૦ ૦ ૦
For Private And Personal Use Only