________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૪
દંડકારણ્યમાં
સ્કંદકાચાર્યને ભગવંતનાં કહેલાં વચન યાદ આવ્યાં. ‘મરણાન્તિક ઉપસર્ગ આવશે.' તેમને પાલકની જ પાપ૨મતની ગંધ આવી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, તું અને તારા પાંચસો સાથીદારો પરલોકની તૈયારી કરો. તમારા માટે હમણાં જ આ ઉદ્યાનમાં મોટી ઘાણી ગોઠવાશે. તારા પાપની સજા તને અહીં મળી જશે!'
પાલકે રાજપુરુષોને આજ્ઞા કરી, ઉઘાનને ઘેરી લીધું. બીજી બાજુ લાકડાની મોટી ઘાણી તૈયાર કરાવી, ઉદ્યાનના મધ્ય ભાગમાં ગોઠવી. આચાર્ય ભગવંતે પરિસ્થિતિ સમજી લીધી. તેમણે પાંચસો સાધુઓને ભેગા કરી ખૂબ ગંભીર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોથી કહ્યું:
હે શ્રમણો, આપણી સામે એક મોટો ઉપસર્ગ આવી રહ્યો છે. આજે શરીરથી પ્રાણનો વિયોગ થશે. પાલકે આપણા પર કલંક ચડાવ્યું છે. આપણને રાજ્યના ગુનેગાર ઠેરવી, પ્રાણાંતદંડની શિક્ષા કરવા તે કટિબદ્ધ થયો છે. પરંતુ, તે આપણો શત્રુ નથી, આપણો મિત્ર છે! કર્મક્ષય કરવામાં એ સહાયક બનશે! મહાત્માઓ! શરીર અને આત્માનું ભેદજ્ઞાન તમે કરેલું છે. પાલક શરીરને ઘાણીમાં પીલશે, આત્માને નહીં પીલી શકે! એ જ્યારે શરીરને ધાણીમાં પીલે ત્યારે આપણે કર્મોને પીલવાનાં છે!'
‘મુનિવરો! તમે સિંહની જેમ સાધનાના માર્ગે ચાલી નીકળ્યા છો. સિંહવૃત્તિથી તમે ચારિત્રનું પાલન કરી રહ્યા છો. આજે કર્મશત્રુ પર સિંહવૃત્તિથી તૂટી પડવાનો સમય મળી ગયો છે.'
જોજો દીનતા, કાયરતા કે કાયાનું મમત્વ સતાવી ન જાય! ભગવંત મુનિસુવ્રતસ્વામીની જ્ઞાનદૃષ્ટિ આપણને જોઈ રહી છે, એમની અનંત અપાર કરુણા આપણને દીન-હીન નહીં બનવા દે, પાલકને કહી દેજો ‘પાલક, તું અમારાં હાડકાં દળી નાખ, ચામડાં ચૂંથી નાખ, લોહી નીચોવી લે, પણ અમારા આત્માને તું કંઈ નહીં કરી શકે.'
હે વીર, પરાક્રમી નિગ્રંથો સિદ્ધશિલા પર શિવરમણી હાથમાં વરમાળા સાથે તમારું સ્વાગત કરવા ઊભી છે. તેને નિરાશ ન થવું પડે, તેને ભોંઠા ન પડવું પડે એ જોજો. જિંદગીનો મોહ ત્યજી દેજો, મોહ કરજો મોક્ષનો, નિર્વાણનો! પ્રિય સાધકો, અંતિમ વિદાય!'
પાલક આવી લાગ્યો. યાંત્રિકે ઘાણી તૈયાર કરી દીધી હતી.
ચાલો તૈયાર થઈ જાઓ.'
For Private And Personal Use Only