________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૬૧૧ રીતે તેમના પર થયેલા ઉપકારનો બદલો ચૂકવવાની પણ એટલી જ તત્પરતા તેમનામાં હોય છે.
કિષ્કિન્ધાના રાજમહેલમાં મોટી રાજસભા ભરવામાં આવી. સ્વર્ણમય સિંહાસન પર શ્રી રામ અને લક્ષ્મણજીને બિરાજિત કરી, મહારાજા સુગ્રીવ તેમનાં ચરણોમાં બેસી ગયા હતા. શ્રી રામે સુગ્રીવનો હાથ પકડી પોતાના પડખે બેસાડ્યા: જ્યારે પરાક્રમી વાલીપુત્ર ચન્દ્રરશ્મિને લક્ષ્મણજીએ પોતાના જ આસન પર બેસાડ્યો. રાજસભા સેંકડો અગ્રગણ્ય નાગરિકોથી ખીચોખીચ ભરાઈ ગઈ.
વાનરદિપના પ્રસિદ્ધ વીણાવાદક મૃગેન્દ્ર ભગવતી સરસ્વતીની ભાવ-પૂજા શરૂ કરી. વીણાના તારોમાંથી દિવ્ય ધ્વનિ નીકળવા લાગ્યો. સભાનું વાતાવરણ શાંતપ્રશાંત બની ગયું. વીણાવાદન પૂર્ણ થયું અને મહારાજા સુગ્રીવે ઊભા થઈ શ્રી રામને નતમસ્તકે વંદના કરી, સભાજનોને ઉદ્દેશીને કહ્યું.
પ્યારા કિષ્કિન્ધાવાસીઓ,
આકાશ અષાઢી વાદળોથી છવાયેલું હતું, ભયંકર વર્ષા અને વાયુનું તોફાન આવ્યું હતું. એ તોફાનમાં મારા હજારો દેશવાસીઓના પ્રાણ ગયા. વહાલાં નગરજનો, સ્ત્રીલંપટ સાહસગતિએ કેવી કપટજાળ રચીને મને કેવી આપત્તિમાં મૂકી દીધો, એ તમે જાણો છો. ચન્દ્રરમિને ખરેખર મોટા ભાઈ વાલીના નામપરાક્રમને લાંછન લાગવા દીધું નહીં, અંત:પુરની રક્ષા કરી, મહારાણીની રક્ષા કરી. હું યુવરાજ ચન્દ્રરશ્મિને લાખ લાખ અભિનંદન આપું છું. “યુવરાજ ચન્દ્રરમિનો જય હો!' નગરજનોએ સભાને ગજવી દીધી.
મારી મૂંઝવણની કોઈ સીમા ન હતી. મેં હનુપુરનગરથી પવનંજય પુત્ર હનુમાનને બોલાવ્યા. તેઓ આવ્યા. પણ શું કરે? કોણ સાચું અને કોણ ખોટું, એનો નિર્ણય થયા વિના એ કોની રક્ષા કરે! તેઓ જોતા જ રહ્યા ને દુષ્ટ સાહસગતિના હાથે હું પિટાઈ ગયો. તેઓ ચાલ્યા ગયા. મેં ખૂબ વિચાર્યું; ત્યાં મારી સ્મૃતિમાં દશરથનંદન શ્રી રામ અને લક્ષ્મણજીનાં નામ આવ્યાં. તાજેતરમાં જ તેઓએ વિરાધ પર મહાન ઉપકાર કર્યો છે. હું તેમના શરણે ગયો. તેઓએ તરત મારી વિનંતી સ્વીકારી અહીં પધાર્યા અને મને સંકટમુક્ત કર્યો. પરસ્ત્રીલંપટ સાહસગતિનો વધ કરી વાનરદ્વીપને ભયમુક્ત કર્યો.
તેમના આ અનંત ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવવો? હું આખી રાત આ ઉપકારી મહાપુરુષના ઉપકારનો વિચાર કરતો રહ્યો. છેવટે મને એક વિચાર આવ્યો. એ વિચાર હું આપ સહુની સમક્ષ શ્રી રામચન્દ્રજી સન્મુખ પ્રગટ કરું છું.'
For Private And Personal Use Only