________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
90. પાતાળલકામાં
ENGEE
“હે જ્યેષ્ઠ, લક્ષ્મણ સાથે હું યુદ્ધ કરીશ. આપ દૂર રહી આપના લઘુ બાંધવના પરાક્રમને જુઓ.' ત્રિશિરે ખરવિદ્યાધરને વિનંતી કરી. ખર પોતાના લઘુબંધુ ત્રિશિર પર પ્રસન્ન થયો અને યુદ્ધના મોરચે પથારૂઢ બની ત્રિશિર આગળ આવ્યો. લક્ષ્મણજીએ ધનુષ્યનો ટંકાર કર્યો અને તીરોની વર્ષા કરી દીધી. ખરના ચૌદ હજાર સૈનિકોએ લક્ષ્મણજી પર તીરો વર્ષાવવાં શરૂ કર્યા. ત્રિશિર લમણજીની નિકટ પહોંચી ગયો!
લક્ષ્મણજી પણ રથારૂઢ હતા. લક્ષ્મણજીનો રથ અને ત્રિશિરનો રથ-સામસામા આવી ગયા.
અરે, નિરપરાધીના ઘાતક, આજે તારું આવી બન્યું છે. તેને પણ શબૂકના માર્ગે...' ત્રિશિરે લક્ષ્મણજીને આહ્વાન કર્યું. લક્ષ્મણજીએ એના જવાબમાં બે તીર છોડ્યાં. ત્રિશિરના રથના અશ્વો વીંધાઈ ગયા અને લક્ષ્મણજીએ પોતાના રથને ત્રિશિરના રથની પડખે લીધો. ત્રિશિર રથ બદલે તે પહેલાં લક્ષ્મણજીએ સૂર્યહાસ ખડગથી ત્રિશિરનો વધ કર્યો.
ખરના સૈન્યમાં ત્રિશિર-વધથી ખળભળાટ મચી ગયો. સૈન્ય પાછું હઠવા લાગ્યું, ત્યાં લક્ષ્મણજીએ પોતાની પાછળ કોલાહલ થતો સાંભળ્યો, તે વિચારમાં પડી ગયા: “શું ખરે બે બાજુથી હુમલો કર્યો?' પરંતુ એ આગળ વિચારે તે પૂર્વે તો એક નવજવાન અશ્વારૂઢ બનેલો; વેગથી લક્ષ્મણજી પાસે આવી પહોંચ્યો. તેણે લક્ષ્મણજીને પ્રણામ કર્યા; અને નિવેદન કર્યું:
“હે મહાભજ! પાતાલલકાના અધિપતિ મહારાજા ચંદ્રોદરનો હું પુત્ર છું. મારું નામ વિરાધ. મારા પિતાને પાતાલલંકામાંથી ભગાડી દઈ ખરે પાતાલલકાનું રાજ્ય લીધેલું છે. આ બધા રાવણનાં પાળેલાં કૂતરાં છે! હે પરાક્રમી! હું આપનો સેવક છું. આપનો શત્રુ મારો પણ શત્રુ છે. હું વિશાળ સૈન્ય તૈયાર કરી આપની સેવામાં ઉપસ્થિત થયો છું. આપ તો સહસ્ત્રકિરણ સદશ પ્રકાશમાન છો. આવા શત્રુનું દમન કરવું આપના માટે ખેલ છે. છતાં આપના સેવકને જ આજ્ઞા કરો. મારા પિતાને દુઃખ દેનાર ખરને આજે હું ભૂશરણ કરીશ.'
વિરાધનાં વિર વચનો સાંભળી લક્ષ્મણજી પ્રસન્ન થયા. તેમના મુખ પર સ્મિત ફરકી ગયું.
‘હે કુમાર, હું શત્રુઓનો સંહાર કેવી રીતે કરું છું તે તું જો! કોઈની
For Private And Personal Use Only