________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३४
આક્રમણ ગુખહારના રક્ષક તરીકે રહી ચૂક્યો હતો, તેથી તેમાં પ્રવેશ કરવાની કળાથી પરિચિત હતો.
શંબલે એક મજબૂત દોરડું નાવમાંથી બહાર કાઢ્યું. તેનો એક છેડો વીરદેવના હાથમાં આપ્યો અને બીજો છેડો પોતાની કમરે બાંધી દઈ તે અગાધ જલમાં કૂદી પડ્યો.
થોડી જ ક્ષણોમાં નીચેથી દોરડું ઢીલું પડ્યું. વિરદેવે દોરડું ખેંચી લીધું અને પોતાની કમરે બાંધી પાણીમાં અદશ્ય થઈ ગયો. દોરડું સુભટોના હાથમાં હતું. પુન: નીચેથી દોરડું ઢીલું પડ્યું. બહાર ખેંચી કાઢવામાં આવ્યું અને અંજલિ તે બાંધીને પાણીમાં ઊતરી પડી.
એક પછી એક, નાવના બધા જ સુભટો નીચે પહોંચી ગયા. નાવિક દોરડું લઈ, ઝડપથી કિનારે આવ્યો ને બાકીના સહુ સુભટોને લઈ પુનઃ પાછો વળ્યો. પૂર્વની પદ્ધતિએ બાકીના બધા સુભટો નીચે ઊતરી ગયા.
શંબલે તીક્ષ્ણ શસ્ત્રથી ગુપ્તદ્વારને ખોલી નાંખ્યું અને અંદર પ્રવેશ કર્યો. શંબલની પાછળ અંજલિ અને તેની પાછળ વીરદેવે પ્રવેશ કર્યો. અંદર ઘોર અંધારું હતું. એકબીજાનું મુખ પણ દેખાતું ન હતું. સર્વ સુભટોએ પણ સાવધાનીથી પ્રવેશ કર્યો.
0
૦
૦
For Private And Personal Use Only