________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
ત્રીજો વિસામો આવી પહોંચ્યો. પરંતુ તેણે અટવીના સ્થાને નગરી જોઈ. તે વિસ્મિત નેત્રે વિચારે છે? શું કોઈ ઇન્દ્રજાલિકે સર્જેલી આ ઇન્દ્ર જાલ હું જોઉં છું? શું કોઈ ગંધર્વરાજની માયાનગરી હું નિહાળું છું? થોડા દિવસો પહેલાં જ હું અહીં ઘોર અટવી જોઈ ગયો છું, ત્યાં આવી દિવ્ય નગરી?” કુતૂહલ અને આશ્ચર્યથી બહાવરા કપિલ બ્રાહ્મણને ત્યાં એક યક્ષિણી મળી ગઈ. ચારુ નેપથ્યધારી, મનુષ્ય - રૂપધારી! “હે ભદ્ર, આ નૂતન નગરી કોની છે?” કપિલે પૂછ્યું.
“હે વિપ્ર, આ નૂતન નગરીના નિર્માતા છે યક્ષરાજ ગોકર્ણ. તેમણે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાના આતિથ્ય અર્થે આ નગરીનું નિર્માણ કર્યું છે.' યક્ષિણીએ કપિલને સવિસ્તાર ઉત્તર આપ્યો.
નગરીનું નામ?' રામપુરી.” તે શ્રી રામ અહીં શું કરે છે?'
હે દરિદ્ર બ્રાહ્મણ, તું આ શું પૂછે છે? રામ દયાના સાગર છે. દીન-દુઃખી; નિર્ધન-અપંગ... જે એમની પાસે જાય છે, તેને શ્રી રામ દાન આપે છે. જે કોઈ દુઃખી આ નગરીમાં આવ્યો, તે કૃતાર્થ બની ગયો છે...”
યક્ષિણીના મધુર શબ્દોમાં રામપુરી અને શ્રી રામનું વર્ણન સાંભળી દરિદ્ર કપિલ યક્ષિણીનાં ચરણોમાં પડી ગયો. લાકડાનો ભારો દૂર ફેંક્યો, કુહાડીને દૂર નાખી, તેણે પૂછ્યું; “હે પવિત્ર સ્ત્રી, તું મને કહે, એ શ્રી રામનાં દર્શન હું કેવી રીતે કરી શકું?”
યક્ષિણીને કપિલની દરિદ્રતા પર દયા આવી.
હે બ્રાહ્મણ, રામપુરીને ચાર દરવાજા છે; ચાર દરવાજે યક્ષ રક્ષા કરે છે; એટલે નગરીમાં પ્રવેશ થવો દુર્લભ છે.'
કૃપા કરીને કોઈ રસ્તો બતાવ...'કપિલે યક્ષિણીનાં ચરણોમાં માથું મૂકી દીધું. “સારું, જો હું એક માર્ગ બતાવું છું; પૂર્વદ્યારે એક જિન ચૈત્ય છે. ત્યાં દર્શન કરીને તું શ્રાવક બનીને જઈશ તો તને પ્રવેશ મળશે.” યક્ષિણી ત્યાંથી ચાલી ગઈ. કપિલ મનમાં વિચારે છેઃ
હું નિધન છું, જિંદગીમાં મેં સુખ જોયું નથી. જિંદગી એમ જ દુ:ખમાં પૂરી થઈ જશે. આજે મને સુખી થવાનો માર્ગ મળ્યો છે એને મારે જતો ન કરવો જોઈએ.’
For Private And Personal Use Only