________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછo
દંડકારણ્યમાં દંડક રાજાએ કોઈ પ્રયોજનથી પોતાના દૂત “પાલકને શ્રાવસ્તિ મોકલ્યો.
પાલક બ્રાહ્મણ હતો. જૈન ધર્મ પ્રત્યે તેના હૃદયમાં ભારે ધૃણા અને દ્વેષ હતાં. જૈન ધર્મની પ્રશંસા તે સાંભળી શકતો ન હતો. જ્યારે તે જિતશત્રુ રાજાની સભામાં આવ્યો, રાજા જેન ધર્મની ચર્ચામાં પરોવાયેલા હતા. પાલક ચર્ચામાં જોડાયો અને જૈન ધર્મનાં તત્ત્વોનું ખંડન કરવા લાગ્યો. રાજપુત્ર સ્કંદકકુમાર પણ ત્યાં જ હતો. તે વિચક્ષણ હતો. અભુત કૌશલવાળો હતો. સ્કંદકકુમારે પાલકને નિરુત્તર કરી દીધો. અંદકકુમારની તર્કશક્તિ આગળ પાલક ઝાંખો પડી ગર્યો. સભાસદોએ સ્કંદકકુમારની ખૂબ ખૂબ પ્રશંસા કરી અને પાલકની ખૂબ હાંસી ઉડાવી. પાલક ઝંખવાણો પડી ગયો. મનમાં કુંદકકુમાર પ્રત્યે તેને ખૂબ વેષ જાગ્યો. પણ શું કરે?'
પોતાનું કાર્ય પતાવી પાલક કુંભકારકટ નગરે પાછો આવ્યો.
આ ઘટના બન્યા પછી ઘણાં વર્ષો વીતી ગયાં. રાજકુમાર કુંદક આ સંસારવાસથી વિરક્ત બન્યા, ભગવંત મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તિમાં સમોસય. પાંચસો રાજકુમારો સાથે સ્કંદકકુમારે ચારિત્ર સ્વીકાર્યું.
ચારિત્ર સ્વીકારી સ્કંદમુનિએ સ્થવિર ભગવંતો પાસે રહી, જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ સાધી. સંયમની સાધનામાં સુદ્રઢ બની કાળાંતરે તેઓ આચાર્યપદ પર આરૂઢ થયા.
એક દિવસ તેમના મનમાં કુંભકારકટ નગરમાં રહેલી પોતાની બહેનને પ્રતિબોધ કરવાની ભાવના જાગી. તેઓ ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે ગયા. - “હે જ ગપૂજ્ય, હું કુંભકારકટ નગરે બહેન પરંદરયાશા વગેરેને પ્રતિબોધ કરવા જાઉ?”
હે સ્કંદક, તમને ત્યાં મરણાન્તિક ઉપસર્ગ થશે? તમારા સમગ્ર પરિવાર પર ઉપસર્ગ થશે!' ભગવંતે કહ્યું. ‘ત્યાં તે વિભો, અમે આરાધક બનીશું કે વિરાધક?' કુંદકાચાર્યે પુનઃ પૂછ્યું. તમારા વિના સર્વ આરાધક બનશે.”
સ્કંદકાચાર્યે પાંચસો મુનિઓ સાથે કુંભકાર કટ નગર તરફ પ્રયાણ કર્યું. ગ્રામાનુગ્રામ વિચરતા આચાર્ય કુંભકારકટ નગર પાસે આવી પહોંચ્યા. નગરમાં સમાચાર ફેલાઈ ગયા. દૂર પાલકને પણ સમાચાર મળ્યા. તેનું મન હજુ પણ
For Private And Personal Use Only