________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૪૬. રાજગૃહી તરફ
ગુરુ ગૌડપાદને વંદના કરી વીરદેવ અને અંજલિના અશ્વોએ રાજગૃહીનો રસ્તો પકડ્યો. સહુથી આગળ વીરદેવનો અશ્વ હતો. તેની પાછળ અંજલિનો અશ્વ દોડી રહ્યો હતો અને તેની પાછળ પાંચ સુભટોના અશ્વો ગતિશીલ હતા.
ત્રણ કલાક સુધી સતત અશ્વો દોડતા રહ્યા. વીરદેવે અશ્વને થાબડ્યો. અશ્વે ગતિ ધીમી કરી. તેની પાછળ સહુની ગતિ ધીમી થઈ. અંજલિએ અશ્વને વીરદેવના અશ્વની હરોળમાં લીધો. થોડો સમય બંનેના અો સાથે ચાલતા રહ્યા. અંજલિએ વીરદેવને પૂછ્યુંઃ
‘વીરદેવ, આપણા પ્રવાસનું પ્રયોજન શું છે?'
‘આપણે રાજગૃહીમાં અયોધ્યાના મહામાત્ય શ્રીષેણને મળવાનું છે. પછી તેઓ જેમ સૂચન કરે તે પ્રમાણે ક૨વાનું છે.' વીરદેવે અંજલિ સામે જોતાં કહ્યું, ‘તો શું અયોધ્યાના મહામાત્ય રાજગૃહીમાં છે?'
‘હા.’
‘પ્રગટ કે પ્રચ્છન્ન?'
‘પ્રગટ!'
‘એકલા ?’
‘ગુપ્ત વેશમાં અયોધ્યાના એક હજાર સુભટો રાજગૃહીમાં છે!' ‘મોટું સાહસ!’
ઉત્તરમાં વીરદેવ માત્ર હસ્યો.
‘આપણે જલદી પહોંચી જવું જોઈએ.' અંજલિએ ગંભીર બની કહ્યું.
‘કેમ?’
તારા જવાથી મહામાત્યને મોટી સહાય મળી જશે...'
‘મારા જેવા બીજા ચાર હજાર સુભટો મગધભૂમિ પર પહોંચી ગયેલા છે...'
‘સુભટો હશે, પરંતુ તારા જેવા નહીં. તારું પરાક્રમ અદ્વિતીય છે...' ‘તેં કાં જોયું છે મારું પરાક્રમ?' વીરદેવ અંજલિ સામે જોઈ રહ્યો. ‘તારા મુખ પર!’
For Private And Personal Use Only