________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦.
નરભક્ષી હું તે જાણું છું. મને શિખામણ આપવાની જરૂર નથી...' સોદાસ રોષે ભરાઈને બોલ્યો.
અમે શિખામણ આપનાર કોણ? આ તો અમને જે ઉચિત લાગ્યું તે આપની સમક્ષ કહેવું એ અમારી ફરજ સમજીને કહીએ છીએ; પ્રજાની શાંતિ વિના રાજા રાજ્ય પર ટકી શકતો નથી.”
એટલે તમે શું કહેવા માગો છો?'
આપના દ્વારા આપની પ્રજાનાં બાળકોનું ભક્ષણ બંધ થવું જોઈએ એટલી જ અમારી પ્રાર્થના છે.'
તે અંગે મને ઉચિત લાગશે તેમ કરીશ.” “આપને શું ઉચિત લાગે છે?”
તે જાણવાની તમારે જરૂર નથી.” રાજ્યના મહામંત્રી તરીકે એ જાણવાનો મારો અધિકાર છે. આપે તે જણાવવું પડશે. એ જાણવા માટે જ અયોધ્યાનું મંત્રીમંડળ અત્યારે આવ્યું છે.” મહામંત્રીએ મક્કમતાથી પડકાર કર્યો. સોદાસ ક્ષણવાર તો સ્તબ્ધ બની ગયો. શો ઉત્તર આપવો તેની ગડમથલમાં પડી ગયો. એ સમજી ગયો હતો કે મંત્રીમંડળ જે તે નિર્ણય કર્યા વિના જવાનું નથી.
જો આપ અત્યારે અમને સંતોષ થાય તેવો જવાબ નહીં આપો તો પછી અમારે આપના પર ફરજ પાડવી પડશે.' મહામંત્રીએ દાબીને કહ્યું.
તમારાથી જે થઈ શકે તે કરી લેજો, હું પણ જોઉ છું...' સોદાસ જવાબ આપી, ત્યાંથી ઊઠીને શયનગૃહમાં ચાલ્યો ગયો.
મંત્રીમંડળ ત્યાંથી મહામંત્રીના આવાસે પહોંચ્યું. સૌનાં મન દુઃખ અને રોષથી સંતપ્ત હતાં. મંત્રણાગૃહમાં પ્રવેશતાં જ મહામંત્રીએ કહ્યું :
ભાઈઓ, મને હવે એક ઉપાય સૂઝે છે.' બતાવો.” સોદાસને પદભ્રષ્ટ કરીને યુવરાજને રાજસિંહાસન પર બેસાડી દેવો.”
બરાબર છે આપની વાત. આવા રાજાને કદાપિ ન ચલાવી લેવાય.” બીજા મંત્રીએ ટેકો આપ્યો.
આ વાતથી પ્રજાને વાકેફ કરવી જોઈએ. મહામંત્રીએ કાર્ય કરવાની રૂપરેખા અંકિત કરવા માંડી.
For Private And Personal Use Only