________________ પુણ્યપાલ ચરિત-૨ દેવીઓ! મિલન-વિરહમાં ભગવાનને હાથ હોય છે. ચાર દિશાઓની જેમ એક પતિની પત્ની અને ચાર એક જગ્યાએ ભેગી થઈ છતાં એક બીજાને મળી શકી નહીં. બધાં કામ સમય પ્રમાણે થાય છે. તમે ચારે એક શુભ દિવસની પ્રતીક્ષા કરો.” , આનંદિત થતાં–થતાં રાજા શ્રીવિજય ચિંતિત થઈ ગયા. રોગીને કહ્યું : ગીરાજ ! મારી ગુણમાલાનું લગ્ન તો મારી પ્રતિજ્ઞાને આધીન હતું. હવે હું શું કરું? તમારી સાથે તે લગ્ન અસંભવ છે. તે શું મારી રાજદુલારી કુંવારી રહેશે ? છે. યોગી પુણ્યપાલ બોલ્યા : “રાજન ! તમારી ગુણમાલનાં લગ્ન પુણ્યપાલ સાથે થશે. તમે પણ તેને મળવાની રાહ જુઓ. દૈવી પ્રપંચ પહેલેથી સમજમાં આવતા નથી. એ દિવસે સમજાશે, જે દિવસે તમને પુણ્યપાલ મળશે. પુણ્યપાલ આ નગરમાં જ છે.” રાજાએ ચારે સન્નારીઓને કહ્યું : . . તો તે હું તેને શોધી કાઢીશ. બેટીઓ ! મારા રાજભવન પર ચાલે. તમે ચારે મારી ગુણમાલા સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust