Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪
પંચસંગ્રહ-૨
તે જ ભેદોને કહેવાની શરૂઆત કરે છે–
सव्वप्परसे गेण्हइ जे बहवे तेहिं वग्गणा पढमा । अविभागुत्तरिएहिं अन्नाओ विसेसहीणेहिं ॥४६॥ सर्वाल्परसान् गृह्णाति यान् बहून् तैर्वर्गणा प्रथमा ।
अविभागोत्तरैरन्या विशेषहीनैः ॥४६॥ અર્થ–સર્વાલ્પરસવાળા જે ઘણા પરમાણુઓને ગ્રહણ કરે છે તે વડે પહેલી વણા થાય છે. એક એક રસાણ અધિક વિશેષહીન વિશેષહીન પરમાણુઓ વડે અન્ય અન્ય વર્ગણાઓ થાય છે.
ટીકાનુ–અન્ય પરમાણુની અપેક્ષાએ જેની અંદર ઓછામાં ઓછા રસાણુઓ ઉત્પન્ન થયા છે એવા ઓછામાં ઓછા રસવાળા ઘણા પરમાણુઓને ગ્રહણ કરે છે, એટલે કે સમયે સમયે ગ્રહણ કરાયેલી અનંત વર્ગણાઓમાં અલ્પ રસવાળા પરમાણુની સંખ્યા ઘણી વધારે હોય છે. કારણ કે તથાસ્વભાવે અલ્પ રસવાળા પરમાણુઓ વધારે હોય છે અને વધતા વધતા રસવાળા પરમાણુઓની સંખ્યા ઓછી ઓછી હોય છે. સમાન રસવાળા તેઓથી પહેલી વર્ગણા થાય છે. તે કરતાં એક એક રસાણ અધિક પરંતુ સંખ્યામાં પૂર્વ પૂર્વથી ધૂન પરમાણુઓ વડે અન્ય અન્ય વર્ગણાઓ થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે છે –સમયે સમયે આત્મા અનંતાનંત કાર્મણ વર્ગણાઓ ગ્રહણ કરે છે. તેઓના દરેક પરમાણુમાં રસાણુઓ સરખા નથી હોતા પણ ઓછાવત્તા હોય છે. જેટલા પરમાણમાં ઓછામાં ઓછા રસાણુ હોય તે સરખા રસાણુવાળા સઘળા પરમાણુના સમૂહની પહેલી વર્ગણા થાય છે. ઓછામાં ઓછા પણ સર્વ જીવ કરતાં અનંતગુણા રસાણ હોય છે. પહેલી વર્ગણામાં પરમાણુની સંખ્યા ઘણી વધારે હોય છે, ત્યારપછીની ઉત્તરોત્તર વર્ગણામાં પરમાણુની સંખ્યા અલ્પ અલ્પ થતી જાય છે. પહેલી વર્ગણાથી એક અધિક રસાણુવાળા પરમાણુના સમૂહની બીજી વર્ગણા, બે અધિક રસાણુવાળા પરમાણુના સમૂહની ત્રીજી વર્ગણા– આ પ્રમાણે એક એક અધિક રસાણવાળી અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગપ્રમાણ વર્ગણાઓ થાય છે. આ અનંતવર્ગણાના સમૂહનું એક સ્પર્ધ્વક થાય છે. વર્ગણા પ્રરૂપણા કરી. હવે સ્પદ્ધક પ્રરૂપણા કરે છે–
दव्वेहिं वग्गणाओ सिद्धाणमणंतभागतुल्लाओ । एयं पढमं फटुं । दव्यैर्वर्गणाः सिद्धानामनन्तभागतुल्याः ।
एतत्प्रथमं स्पर्द्धकम् । અર્થ—અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાના સમૂહનું એક