Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 719
________________ ૬૯૦. પંચસંગ્રહ-૨ હાસ્યષક ઉપશમ્યા પછી પુરુષવેદનું ઉપશમ્યા વિનાનું જેટલું દલિક શેષ રહે છે તે આ ગાથામાં કહે છે– जं समए उवसंतं छक्कं उदयट्ठिई तया सेसा । पुरिसे समऊणावलिदुगेण बंधं अणुवसंतं ॥६८॥ . यस्मिन् समये उपशान्तं षट्कमुदयस्थितिस्तदा शेषा । पुरुषे समयोनावलिद्विकेन बद्धमनुपशान्तम् ॥८॥ અર્થ જે સમયે હાસ્યષક ઉપશમ્યું તે સમયે પુરુષવેદનો એક ઉદય સમય અને સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું દલિક ઉપશમ્યા વિનાનું બાકી રહે છે. - ટીકાનુ– જે સમયે હાસ્યાદિ છ નોકષાય સર્વથા ઉપશમ્ય, ઉપશમ્યા એટલે—જેમ વારંવાર પાણીથી છંટાયેલો અને દુઘણ-કૂબાથી કુટાયેલો માટીનો પિંડ શાંત થાય તેમ વિશુદ્ધિરૂપ પાણીથી સિંચાયેલો અને અનિવૃત્તિકરણરૂપ તુઘણ—કૂબાથી કુટાયેલો કર્મરૂપ રેણુનો પુંજ પણ શાંત થાય છે–સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તના, ઉદીરણા, નિદ્ધત્તિ, નિકાચનાકરણ અને ઉદયને અયોગ્ય થાય છે. તે સમયે પુરુષવેદની એક ઉદયસ્થિતિ માત્ર એક ઉદયસમય બાકી રહે છે. શેષ પ્રથમ સ્થિતિ બધી ભોગવાઈ જાય છે. તે પ્રથમ સ્થિતિના ચરમસમયે પુરુષવેદનો છેલ્લો સોળ વરસ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે સાથે બીજી સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દળ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે, શેષ સઘળાની ઉપશમના થઈ ગઈ છે. આને જ અંગે વિશેષ વિચાર આ પ્રમાણે છે–પુરુષવેદની પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે તે આગાલનો વિચ્છેદ થાય છે, માત્ર ઉદીરણા થાય છે. તથા જે સમયે આગાલનો વિચ્છેદ થાય છે, તે સમયથી આરંભી હાસ્યષકનું દલિક પુરુષવેદમાં સંક્રમતું નથી; પરંતુ સંજવલન ક્રોધાદિમાં સંક્રમે છે. કારણ તે સમયથી પુરુષવેદની ૧. સંક્રમણકરણમાં કહ્યા પ્રમાણે સમયનૂન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ તરીકે રહેતો નથી પરંતુ તેની પતટ્ઠહતા નાશ પામે છે. કારણ કે બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે એમ કહે છે. જો પતઘ્રહ તરીકે કાયમ રહે તો જેમ બંધાયેલું બાકી રહે છે તેમ સંક્રમથી આવેલું પણ બાકી રહેવું જોઈએ. અહીં એવો ક્રમ છે કે જે જે સમયે બંધાય છે અને જે અન્યના સંક્રમથી આવે છે તે તે સમયથી આરંભી એક આવલિકા તદવસ્થ પડ્યું રહે છે, તેમાં કોઈ કરણ લાગતું નથી. આવલિકા પૂર્ણ થયા પછી ઉપશમવા અગર સંક્રમવા માંડે છે, તે એક આવલિકા કાળે શાન્ત થઈ જાય છે. દાખલા તરીકે–જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. તે સમયથી આઠમા સમયે (અહીં આવલિકાના ચાર સમય કલ્યા છે) જે બંધાયું અગર અન્યનું સંક્રમથી આવ્યું તે દલિક તે સમયથી એક આવલિકા તો તદવસ્થ પડ્યું રહે છે, આવલિકા પૂર્ણ થયા બાદ તેની ઉપશમના અને અન્યમાં સંક્રમ થવા માંડે તે બંધવિચ્છેદ સમયે ખલાસ થાય. હવે જે સમયે બંધવિચ્છેદ થાય છે તે સમયથી સાતમા સમયે જે બંધાયેલું છે તે બંધવિચ્છેદ પછીના સમયે શાન્ત થાય છે. પરંતુ જો પદ્મહતા નષ્ટ ન થાય અને સંક્રમથી આવવાનું ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી બંધાયેલા દલિકની જેમ સંક્રમથી આવેલ દલિક પણ શેષ રહે અને બંધાયેલું દલિક જેમ બંધવિચ્છેદ પછીના સમયે ઉપશમે છે તેમ સંક્રમેલું દલિક પણ ઉપશમે. પરંતુ તેમ કહેતા નથી પણ બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ બાકી રહે છે એમ કહે છે એટલે પ્રથમ સ્થિતિની

Loading...

Page Navigation
1 ... 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818