Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૩૯
અનિવૃત્તિકરણ આ કરણમાં એકીસાથે પ્રવેશ કરનાર જીવોને કોઈપણ એક સમયે અધ્યવસાયોમાં પરસ્પર ફેરફાર હોતો નથી. માટે ત્રિકાળવત્તે અનેક જીવો આશ્રયી પણ વિવલિત એક એક સમયમાં સમાન અધ્યવસાય હોવાથી એક એક અધ્યવસાય જ હોય છે. તેથી આ કરણના જેટલા સમયો હોય છે તેટલા જ અધ્યવસાય સ્થાનો હોય છે. માટે આ અધ્યવસાયોની આકૃતિ મોતીની સેર સરખી છે.
અહીં તિર્યમુખી વિશુદ્ધિ હોતી નથી, પરંતુ પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તરોત્તર પછી-પછીના સમયના અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ હોય છે. અને આ કરણમાં પણ અપૂર્વકરણમાં બતાવેલ સ્થિતિઘાતાદિ ચારે પદાર્થો પ્રવર્તે છે.
આ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તકાળના અસત્કલ્પનાએ એકસો (૧૦૦) સમય કલ્પીએ અને તેના ૧૦-૧૦ સભ્યના દસ ભાગની કલ્પના કરી ઘણા સંખ્યાતભાગ અર્થાત ૯૦ સમય પ્રમાણ નવ ભાગ જેટલો કાળ જાય અને ૧૦ સમય પ્રમાણ એક સંખ્યાત ભાગ જેટલો કાળ બાકી રહે ત્યારે સત્તામાં રહેલ જે મિથ્યાત્વની સ્થિતિ છે, તેને ઉદય સમયથી અર્થાત એકાણુમાં સમયથી લઈ અનિવૃત્તિકરણના બાકી રહેલ સંખ્યામાં ભાગ પ્રમાણ અર્થાતુ ૯૧-૧૦૦ સુધીના ૧૦ સમય પ્રમાણ નીચે રાખી તેની (૧૦) સમયની) ઉપર એક અંતર્મુહૂર્ત કાળમાં ભોગવવા યોગ્ય મિથ્યાત્વનાં દલિકોને ત્યાંથી દૂર કરવાની ક્રિયા શરૂ કરે છે અને તેને અંતરકરણની ક્રિયા કહેવાય છે.
- આ ક્રિયા દ્વારા અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાંથી મિથ્યાત્વનાં દલિકો ખસેડી અર્થાત દૂર કરી નીચે અને ઉપર એમ બન્ને બાજ નાખી તે અંતર્મુહર્ત પ્રમાણ જગ્યા તદન મિથ્યાત્વના દલિક વિનાની કરે છે તે અંતરકરણનાં દલિકોની સાથે ગુણશ્રેણિનો પણ ઉપરનો સંખ્યાતમો ભાગ ખંડાઈ દૂર થઈ જાય છે. અને તેને જ અંતરકરણ કહેવાય છે. તેમજ જે સમયથી અંતરકરણની ક્રિયા શરૂ કરે તે સમયથી મિથ્યાત્વની ગુણશ્રેણિ અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી જ થાય છે પરંતુ તેના ઉપરના સમયોમાં થતી નથી અને અંતરકરણ ક્રિયા સમાપ્ત થયા પછીના સમયથી દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વનાં દલિકોને અસંખ્યાત ગુણાકારે ઉપશમાવતાં અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે.
અંતરકરણ ક્રિયાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવા છતાં તે કાળ અનિવૃત્તિકરણના બાકી રહેલ સંખ્યામાં ભાગની અપેક્ષાએ પણ ઘણો જ અલ્પ છે. માટે અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ અનિવૃત્તિકરણનો કાળ બાકી રહે છે. જેટલા કાળમાં એક સ્થિતિઘાત કરે છે તેટલા જ કાળમાં અંતરકરણની ક્રિયા પણ કરે છે. માટે અંતરકરણ ક્રિયાનું અંતર્મુહૂર્ત આવલિકાના એક સંખ્યાતમા ભાગ જેટલું નાનું હોય તેમ લાગે છે. અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પછી અંતરકરણ થયેલ હોવાથી સત્તાગત મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થઈ જાય છે. તેમાં એક અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણની નીચેની સ્થિતિને નાની અથવા પ્રથમ સ્થિતિ અને બીજી સત્તાગત સંપૂર્ણ સ્થિતિ પ્રમાણ અંતરકરણની ઉપરની સ્થિતિને મોટી અથવા બીજી સ્થિતિ કહેવાય છે.