Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 766
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૭૩૭ સત્તામાંથી દૂર કરે છે. અને તેને જ સ્થિતિઘાત કહેવાય છે. અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત થાય છે. અને તેથી જ અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી કર્મની સ્થિતિસત્તા હોય છે તેના કરતાં આ જ કરણને ચરમ સમયે સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યામાં ભાગ પ્રમાણ કર્મની સ્થિતિસત્તા રહે છે. (૨) રસઘાત : પ્રથમ અંતર્મુહૂર્તમાં જે સ્થિતિઓનો નાશ કરે છે તે સ્થિતિસ્થાનોમાં રહેલ અશુભ પ્રકૃતિઓનો જે રસ છે તે રસના બુદ્ધિથી અનંતભાગ કલ્પી અપવર્તનાકરણ દ્વારા અંતર્મુહૂર્તમાં અનંતભાગોનો નાશ કરી એક અનંતમા ભાગ જેટલો રસ રાખે છે અર્થાતુ બંધાદિ વખતે અશુભપ્રકૃતિઓનાં દલિતોના રસમાં જે અશુભ ફળ આપવાનો પાવર હતો, તે પાવરના અનંતભાગ કરી એક અનંતમાભાગ જેટલો પાવર રાખી શેષ અનંતાભાગો જેટલા પાવરનો નાશ કરે છે. તેથી અનંતગુણહીન એટલે અનંતભાગ પ્રમાણ પાવર રહે છે તે એક રસઘાત કહેવાય છે. ત્યારબાદ પ્રથમ રસઘાતમાં બાકી રહેલ જે રસનો અનંતમો ભાગ છે તેના ફરીથી અનંતા ભાગ કરી અંતર્મુહૂર્તમાં અપવર્તનાકરણ દ્વારા અનંતભાગોનો નાશ કરી માત્ર એક ભાગ જેટલો રસ બાકી રાખે તે બીજો રસઘાત કહેવાય છે એમ બાકી રહેલ અનંતમા ભાગના ઘણા હજારોવાર અનંતા-અનંતા ભાગો કરી એક-એક અંતર્મુહૂર્તમાં એક એક અનંતમો ભાગ રાખી શેષ અનંતાભાગોનો નાશ કરી પ્રથમ સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઘણા હજારો રસઘાત કરી તે સ્થિતિસ્થાનોમાંનાં ઉમેરાતાં દલિકોને તદ્દન નીરસ બનાવે છે. * જો કે અહીં સામાન્યથી એક રસઘાતનો કાળ પણ અંતર્મુહૂર્ત, એક સ્થિતિઘાતનો કાળ પણ અંતર્મુહૂર્ત તેમજ સંપૂર્ણ અપૂર્વકરણનો કાળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે પરંતુ અપૂર્વકરણના અંતર્મુહૂર્તથી એક એક સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત ઘણા હજારોગણું નાનું અને એકએક સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં પણ એક-એક રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણા હજારોગણું નાનું હોય છે માટે જ અપૂર્વકરણમાં ઘણા હજારો સ્થિતિઘાત અને એક એક સ્થિતિઘાતની અંદર ઘણા હજારો રસઘાત થાય છે. (૩) ગુણશ્રેણિ : આ કરણના પ્રથમ સમયથી અપવર્તનો કરણ દ્વારા સ્થિતિઘાતો કરી જે જે સ્થિતિઓનો નાશ કરે છે તે સ્થિતિસ્થાનોમાં રહેલાં દલિકોને જલદીથી ખપાવવા માટે દરેક સમયે અસંખ્યાતગુણાકારે ઉપરથી ઉતારે છે. અને જે જે સમયે જેટલાં જેટલાં દલિકો ઉતારે છે, તે તે દલિકોને તે જ સમયે રસોદયવાળી પ્રકૃતિઓમાં ઉદય સમયથી લઈને અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી લઈને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કંઈક અધિક કાળ સુધીના દરેક સમયમાં પૂર્વ-પૂર્વ સમયથી ઉત્તરોત્તર ઉપર-ઉપરના સમયમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. અર્થાતુ બંધાદિસમયે થયેલ નિષેકરચનાનાં દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે, તે ગુણશ્રેણિ કહેવાય છે. પંચર-૯૩

Loading...

Page Navigation
1 ... 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818