Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 772
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૭૪૩ ત્રીજું અસ્કૃિત્તિકરણ પણ થાય છે પરંતુ આ બે ગુણ પ્રાપ્ત કરતાં મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થતો નથી પરંતુ દેશવિરતિ પ્રાપ્ત કરતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અને સર્વવિરતિ પ્રાપ્ત કરતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થાય છે. માટે ત્રીજું અનિવૃત્તિકરણ થતું નથી. પરંતુ અપૂર્વકરણની સમાપ્તિ પછીના પહેલા જ સમયે આત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. જે સમયે આ બે ગુણ પ્રાપ્ત કરે છે તે સમયથી ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિ કરે છે. વળી ગુણપ્રાપ્તિના સમયથી અંતર્મુહૂર્ત કાળ સુધી અવશ્ય વર્ધમાન પરિણામવાળો હોવાથી પૂર્વ-પૂર્વના સમયથી પછી-પછીના ઉત્તરોત્તરસમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો ઉતારી અંતર્મુહૂર્વકાળ સુધીમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. ત્યારબાદ ગુણપ્રાપ્તિના સમયની અપેક્ષાએ અથવા જે સમયે ગુણશ્રેણિનો વિચાર કરીએ તેના પૂર્વ સમયની અપેક્ષાએ કોઈક જીવને વર્ધમાન, કોઈક જીવને અવસ્થિત અર્થાત્ તેવા ને તેવા અને કોઈક જીવને હાયમાન અર્થાત્ ઊતરતા પરિણામ પણ હોય છે માટે ગુણશ્રેણિ પણ સમાન થતી નથી. પરંતુ વર્ધમાન પરિણામ હોય તો પરિણામના અનુસાર ઉપરથી પ્રતિસમયે અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક દલિતો ઉતારે છે. જો અવસ્થિત પરિણામ હોય તો ઉપરથી દરેક સમયે સમાન દલિકો ઉતારે છે અને જો હીનમાન પરિણામ હોય તો પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી-પછીના સમયે પરિણામના અનુસાર ઉપરથી અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અથવા અસંખ્યાતગુણહીન દલિતો ઉતારે છે. ' જે સમયે ઉતારે છે, તે જ સમયે અનુદયવતી પ્રકૃતિઓની ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયથી અને રસોઇયવતી પ્રવૃતિઓમાં ઉદય સમયથી અંતર્મુહૂર્વકાળ સુધીનાં સ્થાનોમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. એમ જયાં સુધી દેશવિરતિ અથવા સર્વવિરતિ રહે ત્યાં સુધી - ગુણશ્રેણિ પણ ચાલુ રહે છે. અને સર્વત્ર અંતર્મુહૂર્ણકાળ સુધીનાં સમાન સ્થાનોમાં દલિક રચના થાય છે. ઇરાદાપૂર્વક વ્રતોનો ભંગ નિષ્ફર પરિણામ વિના થતો નથી, એથી જો જાણીબૂઝીને વ્રતોનો ભંગ કરી આ બે ગુણોથી આત્મા નીચે ઊતરે તો પુનઃ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરીને જ આ બે ગુણો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઈરાદા વિના પ્રબળ મોહનીયકર્મના ઉદયથી જે આત્માઓ નીચેનાં ગુણસ્થાનકોમાં જાય છે તેઓને તેવા નિષ્ફર પરિણામ ન હોવાથી આ બે કરણ કર્યા વિના પણ પુનઃ દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત થઈ શકે છે. અનંતાનુબંધિની વિસંયોજના ઉપશમશ્રેણિ કરનાર જીવોને આ ગ્રંથકાર તેમજ કર્મપ્રકૃતિકાર વગેરે આચાર્યોના મતે પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના જ થાય છે પરંતુ ઉપશમના થતી નથી, માટે ચારિત્રમોહનીયની ઉપશમનાનું સ્વરૂપ કહેતાં પહેલાં અનંતાનુબંધિની વિસંયોજના ક્યા આત્માઓ કઈ રીતે કરે છે તે બતાવે છે.

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818