Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 784
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૭૫૫ આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી પોતપોતાના ઉદયકાળથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિરૂપે બનાવીને ભોગવે છે. તેમ અહીં પણ ક્રોધનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માનના, માનનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માયાના, માયાનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભનાં દલિકોને આકર્ષી પોતપોતાના ઉદયકાળ પ્રમાણથી એક આવલિકા અધિક ક્રમશઃ માન, માયા અને લોભની પ્રથમ સ્થિતિ બનાવી ભોગવે છે. એ જ પ્રમાણે માનના ઉદયે શ્રેણિ માંડનારને માનનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માયાના અને માયાનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભનાં દલિકોને આકર્ષી માયા અને લોભની પોતપોતાના ઉદયકાળ પ્રમાણથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિ બનાવે છે અને ભોગવે છે. એ જ પ્રમાણે માયાના ઉદયે શ્રેણિ માંડનારને માયાનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભનાં દલિકોને આકર્ષી પ્રથમ નવમા ગુણસ્થાનકના બાકી રહેલ કાળપ્રમાણથી એક આવલિકા અધિક લોભની પ્રથમ સ્થિતિ બનાવી ભોગવે છે માટે કોઈ જાતનો વિરોધ લાગતો નથી અને ઉપરોક્ત શંકાને પણ સ્થાન નથી. - ક્રોધના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય છે, માનના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માનનો ઉદય હોય છે, માયાના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાની માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય છે. અને સંજવલન લોભના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી એટલે કે નવમાં ગુણસ્થાનકના ચરમ સમય સુધી સંજ્વલન બાદર લોભનો ઉદય હોય છે. પછી દશમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. . . જે સમયે અંતરકરણ કરવાની ક્રિયા સમાપ્ત થાય છે તેના પછીના સમયથી આ સાત પદાર્થો પ્રવર્તે. (૧) હમણાં સુધી મોહનીય કર્મનો રસ દ્રિસ્થાનિક વગેરે બંધાતો હતો પરંતુ હવેથી એક સ્થાનિક બંધાય. - (૨) મોહનીય કર્મનો નવીન સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ અને ઉદય તથા ઉદીરણા પણ સંખ્યાત વર્ષ પ્રમાણ હોય. (૩) હમણાં સુધી બધ્યમાન પ્રકૃતિઓની બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા થતી હતી, પરંતુ હવે બધ્યમાન દરેક પ્રકૃતિઓની બંધ સમયથી છ આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા થાય. (૪) હમણાં સુધી મોહનીય કર્મની બધ્યમાન પુરુષવેદ અને સંજવલન કષાય ચતુષ્ક આ પાંચનો અરસપરસ સંક્રમ થતો હતો પરંતુ હવેથી પુરુષવેદનો સંજ્વલન ક્રોધાદિ ચારમાં, સંજવલન ક્રોધનો સંજવલન માનાદિ ત્રણમાં થાય પણ પુરુષવેદમાં ન થાય. સંજવલન માનનો

Loading...

Page Navigation
1 ... 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818