Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 787
________________ પંચસંગ્રહ-૨ ૭૫૮ માટે જ પુરુષવેદના બંધવિચ્છેદ પછીના સમયે બે સમયન્સૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત હોય છે. એ જ પ્રમાણે ક્રોધાદિ ચારે સંજ્વલન કષાયોના બંધવિચ્છેદ પછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ ક્રોધાદિનાં દલિકો પણ અનુપશાંત હોય છે અને જે સમયે પુરુષવેદનો સોળ વર્ષ પ્રમાણ બંધ થાય છે, તે સમયે ચારે સંજ્વલન કષાયનો સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ' અવેદકના પ્રથમ સમયે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદનું જે દલિક અનુપશાંત છે, તેને તે જ સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી ક્રમશઃ પૂર્વપૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી પછીના સમયે અસંખ્યાત ગુણાકારે ઉપશમાવે છે અને બધ્યમાન સંજ્વલન કષાયોમાં યથાપ્રવૃત્ત સંક્રમ દ્વારા પહેલા સમયે ઘણું અને પછી પછીના સમયે વિશેષ હીન હીન સંક્રમાવે છે. એમ જે સમયે અવેદક થાય છે તે સમયથી બે સમય ન્યૂન બે આવલિકાના અંતે પુરુષવેદ સંપૂર્ણ ઉપશાંત થાય છે. અને તે સમયે ચારે સંજ્વલન કંષાયનો સ્થિતિબંધ બત્રીસ વર્ષ પ્રમાણ થાય છે. આ સ્થળે કર્મપ્રકૃતિ ઉપશમના કરણમાં અંતર્મુહૂર્ત ન્યૂન બત્રીસ વર્ષ પ્રમાણ થાય એમ કહેલ છે, તેમ જ મોહનીય વિના શેષ કર્મનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. અવેદકના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણે ક્રોધને એક સાથે ઉપશમાવવાની શરૂઆત કરે છે, અને ઉત્તરોત્તર દરેક સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે, તેમજ આ ત્રણ ક્રોધની ઉપશમન ક્રિયા શરૂ કરે તે વખતે જે સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ પૂર્ણ થયા પછી ચારે સંજ્વલનનો નવો સ્થિતિબંધ સંખ્યાત ભાગ હીન અને શેષ કર્મોનો સંખ્યાતગુણ હીન એટલે સંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. જ્યારે સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંજ્વલન ક્રોધ અપતદ્ગહ થાય છે, માટે તે સમયથી સત્તાગત અન્ય પ્રકૃતિઓનાં દલિકો સંજવલન ક્રોધમાં સંક્રમતાં નથી, પરંતુ માનાદિ ત્રણમાં સંક્રમે છે. સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિ બે આવલિકા પ્રમાણ શેષ રહે ત્યારે આગાલ પણ બંધ પડે છે, અને પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે સંજવલન ક્રોધના બંધ-ઉદય-અને ઉદીરણા એકીસાથે વિચ્છેદ થાય છે અને તે સમયે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સંપૂર્ણ ઉપશાંત થાય છે. જે સમયે સંજ્વલન ક્રોધના બંધાદિ વિચ્છેદ થાય છે. તે સમયે પ્રથમસ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિકને છોડી સંજ્વલન ક્રોધનું પણ અન્ય સર્વ દલિક ઉપશાંત થયેલ હોય છે. પ્રથમ સ્થિતિગત આવલિકાને સ્તિબુક સંક્રમથી માનમાં, માનની પ્રથમ સ્થિતિગત આવલિકાને માયામાં, માયાની લોભમાં અને બાદર લોભની પ્રથમ સ્થિતિગત આવલિકાને દશમા ગુણસ્થાનકે કિટ્ટિઓમાં સંક્રમાવી ભોગવી દૂર કરે છે. ક્રોધની દ્વિતીય સ્થિતિમાં બંધવિચ્છેદ પછીના સમયે જે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણકાળમાં બંધાયેલ દલિક અનુપશાંત છે તેને બંધવિચ્છેદ પછીના સમયથી બે સમયન્યૂન બે

Loading...

Page Navigation
1 ... 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818