Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 795
________________ ૭૬૬ પંચસંગ્રહ-૨ તેના બદલે પડતી વખતે પુરુષવેદ અને ચાર સંજ્વલનનો અરસપરસ પાંચેનો પાંચમાં સંક્રમ થાય. સંજ્વલન લોભનો પણ સંક્રમ થાય અને બધ્યમાન કર્મલતાની બંધ આવલિકા પછી ઉદીરણા થાય છે. તેમજ ચડતી વખતે ગુણશ્રેણિની રચના માટે પ્રતિસમયે ઉપરની સ્થિતિઓમાંથી અસંખ્યાતગુણ દલિતો ઊતરતાં હતાં તેના બદલે પડતી વખતે દરેક સમયે અસંખ્યાતગુણ હિનહીન દલિકો ઊતરે છે અને પૂર્વની જેમ ગોઠવાય છે. ક્ષપકશ્રેણિમાં જે જે સ્થાને જે જે કર્મપ્રકૃતિઓનો જેટલો સ્થિતિબંધ થાય છે તેની અપેક્ષાએ ચડતી વખતે ઉપશમશ્રેણિમાં તે તે સ્થાને બમણો અને પડતી વખતે તે તે સ્થાને તેનાથી પણ બમણો એટલે કે ક્ષપકશ્રેણિમાં થાય છે તેનાથી ચાર ગુણો સ્થિતિબંધ થાય છે. જેમ-ક્ષપકશ્રેણિમાં બંધવિચ્છેદ સમયે પુરુષવેદનો આઠ વર્ષનો, ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ૧૬ વર્ષનો અને પડતી વખતે તે જ સ્થાને ૩૨ વર્ષનો સ્થિતિબંધ થાય છે એ જ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં ૧૦માં ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો અંતર્મુહૂર્તપ્રમાણ, નામ અને ગોત્રનો આઠ મુહૂર્તપ્રમાણ અને વેદનીયનો ૧૨ મુહૂર્તપ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારે ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ૧૦મા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ વગેરે કર્મનો ક્ષપકશ્રેણિના અંતર્મુહૂર્તની અપેક્ષાએ બમણા અંતર્મુહૂર્તપ્રમાણ, નામ અને ગોત્રનો ૧૬ મુહૂર્વપ્રમાણ અને વેદનીયનો ૨૪ મુહૂર્ણપ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારે પડતી વખતે દશમા ગુણસ્થાનકના પ્રથમ સમયે તેથી પણ બમણો એટલે કે જ્ઞાનાવરણ વગેરે ત્રણ કર્મનો પૂર્વની અપેક્ષાએ બમણો અને ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ચારગણા મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રનો ૩૨ મુહૂર્તપ્રમાણ અને વેદનીયનો ૪૮ મુહૂર્તપ્રમાણ સ્થિતિબંધ થાય છે. ક્ષપકશ્રેણિમાં જે જે સ્થાને શુભ અને અશુભ પ્રકૃતિઓનો જેટલો રસબંધ થાય છે તેની અપેક્ષાએ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ક્રમશઃ અનંતગુણ હીન અને અનંતગુણ અધિક અને પડતી વખતે તેનાથી પણ શુભનો અનંતગુણ હીન અને અશુભનો અનંત ગુણ અધિક રસબંધ થાય છે. શ્રેણિ પરથી પડતો જીવ મોહનીયકર્મની પ્રકૃતિઓની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ વેદ્યમાન સંજવલનના કાળથી અધિક કાળવાળી બનાવે છે. અને ચડવાના કાળની ગુણશ્રેણિની અપેક્ષાએ તુલ્ય બનાવે છે. જે કષાયના ઉદયે ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયો હતો, પડતી વખતે જ્યારે તે કષાયનો ઉદય થાય ત્યારે તે કષાયની ગુણશ્રેણિ શેષકર્મની સમાન કરે છે. દા. ત. સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને શ્રેણિથી પડતા પણ જ્યારે સંજવલન ક્રોધનો ઉદય થાય ત્યારથી સંજ્વલન ક્રોધની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ શેષકર્મોની સમાન થાય છે. એમ સંજ્વલન માન અને માયા માટે પણ સમજવું. પરંતુ સંજવલન લોભના ઉદયે શ્રેણિ માંડનારને તો પડે ત્યારે લોભોદયના પ્રથમ સમયથી જ તેની ગુણશ્રેણિ શેષકર્મોની ગુણશ્રેણિની સમાન થાય છે. અને શેષકર્મોની ગુણશ્રેણિ તો જેમ ચડતી વખતે કરે છે, તેમ પડતી વખતે પણ કરે છે. તેમાં કોઈ વિશેષતા નથી. ત્રણ આયુષ્ય વિના દેવાયુષ્ય બાંધીને અથવા કોઈપણ આયુષ્ય બાંધ્યા વિના આત્મા

Loading...

Page Navigation
1 ... 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818