Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 720
________________ ઉપશમનાકરણ ૬૯૧ પદ્મહતાનો નાશ થાય છે. હવે જ્યારે શેષ રહેલ પુરુષવેદનો એક ઉદયસમય પણ ભોગવાઈ જાય છે ત્યારે આત્મા અવેદી થાય છે. અવેદીપણાના પ્રથમસમયે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક છે તે જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે, શૈષ સઘળા લિકની નપુંસકવેદમાં કહેલ વિધિ પ્રમાણે ઉપશમના થઈ ગયેલ છે અને બે સમયનૂન બે આવલિકા કાળમાં જે બંધાયેલું ઉપશમ્યા વિનાનું બાકી છે તેને પણ તેટલા જ કાળે ઉપશમાવે છે. ૬૮ પૂર્વગાથામાં કહી તે જ હકીકત આ ગાળામાં સ્પષ્ટ કરે છે– आगालेण समगं पडिग्गहया फिडइ पुरिसवेयस्स । सोलसवासिय बंधो चरिमो चरिमेण उदएण ॥६९॥ तावइ कालेणं चिय पुरिसं उवसामए अवेदो सो । बंधो बत्तीससमा संजललिणियराण उ सहस्सा ॥७०॥ आगालेन समकं पतद्ग्रहता स्फिटति पुरुषवेदस्य । षोडशवार्षिको बन्धः चरमः चरमेणोदयेन ॥६९॥ तावता कालेनैव पुरुषमुपशमयति अवेदः सः । बन्धो द्वात्रिंशत्समानि संज्वलनस्येतरेषां तु सहस्राणि ॥७०॥ અર્થ–આગાલ સાથે પુરુષવેદની પતદ્ઘહતા નાશ પામે છે. સોળ વર્ષનો છેલ્લો બંધ પણ છેલ્લા ઉદય સાથે નષ્ટ થાય છે. અવેદક થયો છતો અનુપશમિત પુરુષવેદને તેટલા જ કાળે ઉપશમાવે છે. જે સમયે પુરુષવેદ ઉપશમ્યો તે સમયે સંજવલન કષાયોનો બત્રીસ વર્ષ પ્રમાણ બંધ થાય છે, અને ઇતરકર્મનો સંગાતા હજાર વર્ષનો બંધ થાય છે. ટીકાનુ–જે સમયે પુરુષવેદના (જનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે તે) આગાલનો વિચ્છેદ થાય છે તે જ સમયે પુરુષવેદની પતટ્ઠહતા પણ નષ્ટ થાય છે. એટલે કે હાસ્યાદિ ષકદિ ષકદિ પ્રકૃતિઓનું દલિક પુરુષવેદમાં સંક્રમતું નથી. પુરુષવેદનો સોળ વર્ષપ્રમાણ જે છેલ્લો સ્થિતિબંધ થાય છે તે પણ પ્રથમસ્થિતિના છેલ્લા ઉદય સમય સાથે નષ્ટ થાય છે, બંધ અને ઉદય સાથે જ દૂર થાય છે. ઉદીરણા પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે દૂર થાય છે. પુરુષવેદનો જ્યારે સોળ વરસનો બંધ થાય છે, ત્યારે સંજ્વલનના ચારે કષાયોની સંખ્યાતા હજાર વર્ષ બંધ થાય છે. જે સમયે પુરુષવેદનો છેલ્લો બંધ થાય છે તે સમયે તે સમયથી બીજી આવલિકાના છેલ્લા સમયનું બંધાયેલું અને સંક્રમથી આવેલું સઘળું દલિક શાંત થાય છે. જેમ કે આવલિકાના ચાર સમયનૂન બે આવલિકા બાકી રહે અને પતંગ્રહતા નષ્ટ થાય એમ કહ્યું છે. અહીં જે સમયે આગાલ બંધ પડે છે તે સમયથી પતટ્ઠહતા નાશ પામે છે તેમ કહે છે, આગાલ પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે નષ્ટ થાય છે એ હિસાબે પતદુગ્રહતા પ્રથમ સ્થિતિની બે આવલિકા રહી ત્યારથી બંધ પડી એમ થાય છે. સંક્રમણકરણમાં સમયવ્ન બે આવલિકા પ્રથમસ્થિતિ શેષ રહે ત્યારે પતગ્રહતા નષ્ટ થાય તેમ કહ્યું છે. તત્ત્વ કેવલીગમ્ય.

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818