Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૧૨
પંચસંગ્રહ-૨ આયુ બાંધી શકે છે.
તથા એક ભવમાં વધારેમાં વધારે બે વાર જ ચારિત્રમોહનીયકર્મને સર્વથા ઉપશમાવે છે. જે જીવ એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડે છે, તે તે ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતો નથીચારિત્રમોહનીયની ક્ષપણા કરી શકતો નથી. પરંતુ જેણે એક જન્મમાં એક વાર ચારિત્રમોહનીયની ઉપશમના કરી હોય તેને તે જન્મમાં ક્ષપકશ્રેણિ થાય પણ ખરી—–ચારિત્રમોહનીયની ક્ષપણા કદાચ થાય પણ ખરી. આ ઉપરથી એમ નથી સમજવાનું કે ચારિત્રમોહનીયની ક્ષપણા કરતાં પહેલાં ચારિત્રમોહનીયની ઉપશમનાની જરૂર છે. ચારિત્રમોહનીયની ઉપશમના કર્યા વિના પણ ચારિત્રમોહનીયની ક્ષપણા કરી શકે છે. તથા એક જન્મમાં ઉપશમ અને ક્ષપક એમ બંને શ્રેણિ પર ચડી શકે છે એ કાર્મગ્રંથિક અભિપ્રાય છે.
આગમના અભિપ્રાયે તો એક ભવમાં ઉપશમ અને ક્ષપક એ બેમાંથી એક જ શ્રેણિ પર ચડી શકે છે. કહ્યું છે કે –“બેમાંથી એક શ્રેણિ સિવાય એક ભવમાં દેશવિરતિ, સર્વવિરતિ ચારિત્ર વગેરે સર્વ પ્રાપ્ત કરી શકે છે.” અન્યત્ર પણ કહ્યું છે-“એક ભવમાં મોહનો ઉપશમાં ઉપરાઉપરી બે વાર થાય, પરંતુ જે ભવમાં મોહનો સર્વોપશમ થયો હોય તે ભવમાં મોહનો સર્વથા ક્ષય ન થાય.” ૯૩
આ પ્રમાણે પુરુષવેદે શ્રેણિ પ્રાપ્ત કરનાર આશ્રયી વિધિ કહ્યો. હવે સ્ત્રીવેદ અને નપુંસકવેદે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરનાર આશ્રયી વિધિ કહે છે– .
दुचरिमसमये नियगोदयस्स इत्थीनपुंसगो एणोण्णं । समयित्तु सत्त पच्छा किंतु नपुंसो कमारद्धे ॥१४॥ द्विचरिमसमये निजकोदयस्य स्त्री नपुंसकोऽन्योन्यं ।।
शमयित्वा सप्त पश्चात् किन्तु नपुंसकः क्रमारब्धे ॥१४॥ અર્થ–સ્ત્રી અને નપુંસક પોતાના ઉદયના દ્વિચરમ સમયે અન્યોન્ય-નપુંસક સ્ત્રીવેદને અને સ્ત્રી નપુંસકવેદને ઉપશમાવે છે. પછી અવેદક થઈને સાત પ્રકૃતિ એકીસાથે ઉપશમાવે છે. પરંતુ નપુંસકવેદે શ્રેણિ આરંભનાર પ્રથમ એકલો નપુંસકવેદ ઉપશમાવે છે, થોડો કાળ ગયા પછી સ્ત્રીવેદની પણ ઉપશમન ક્રિયા શરૂ કરે છે.
ટીકાન–અત્યાર સુધી પુરુષવેદને ઉદયે ઉપશમશ્રેણિ આરંભનાર કેવા ક્રમપૂર્વક ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ ઉપશમાવે છે તે કહ્યું છે. હવે સ્ત્રી કે નપુંસકવેદના ઉદયે શ્રેણિ આરંભનાર કેવા ક્રમથી ઉપશમાવે છે, તે કહે છે–
જ્યારે સ્ત્રીવેદના ઉદયે કોઈ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે ત્યારે પહેલાં નપુંસકવેદ ઉપશમાવે
ત્યાં સુધી અંતરકરણ છે. તે કાળમાં મરણ પામે તો અવશ્ય દેવ જ થાય છે. આયુ બાંધ્યા વિના ઉપશમશ્રેણિ માંડી હોય તો ક્ષયોપશમ સમ્યક્ત કરીને અથવા મિથ્યાત્વભાવ પામીને જ અધ્યવસાયાનુસારે આયુ બાંધે છે. મિથ્યાત્વમોહનો ઉદય થાય ત્યારે અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત પ્રાપ્ત કરી સમ્યક્વમોહનો ઉદય થાય ત્યારે અંતરકરણ ખલાસ થાય છે.