Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૭૧૩
છે ત્યારપછી સ્ત્રીવેદ પોતાના ઉદયના દ્વિચરમ સમય પર્યંત ઉપશમાવે છે. પોતાના ઉદયના દ્વિચ૨મ સમયે છેલ્લા એક ઉદયસમયને છોડીને સ્રીવેદનું સઘળું દલિક શાન્ત થઈ જાય છે તે એક છેલ્લી ઉદયસ્થિતિને ભોગવી લીધા બાદ અવેદક થઈને હાસ્યાદિષટ્ક અને પુરુષવેદ એ સાતે પ્રકૃતિઓને એકીસાથે ઉપશમાવવાનો આરંભ કરે છે. હવે પછીની શેષ હકીકત પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનારની જેમ સમજવી.
સ્ત્રીવેદ કે પુરુષવેદની ઉદયે શ્રેણિ સ્વીકારનાર જે સ્થાને નપુંસકવેદને ઉપશમાવે છે તે સ્થાન પર્યંત નપુંસકવેદને ઉદયે શ્રેણિ માંડનાર એકલા નપુંસકવેદને જ ઉપશમાવવાની ક્રિયા કરે છે. ત્યાર પછી નપુંસક અને સ્રીવેદ એ બંનેને એકીસાથે ઉપશમાવવા માંડે છે. આ પ્રમાણે નપુંસકવેદોદયના દ્વિચરમસમયપર્યંત બંનેને ઉપશમાવે છે. તે દ્વિચરમસમયે સ્ત્રીવેદ સર્વથા ઉપશમી જાય છે, નપુંસકવેદની એક ઉદયસ્થિતિ શેષ રહે છે. તે એક ઉદયસ્થિતિ પણ ભોગવાઈ ગયા બાદ હાસ્યાદિષટ્ક અને પુરુષવેદ એ સાતેને એકીસાથે ઉપશમાવવાનો આરંભ કરે છે. હવે પછીનો ક્રમ પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનારની જેમ સમજવો. આવી રીતે મોહનીયકર્મની સર્વોપશમાનું સ્વરૂપ કહ્યું.
સર્વોપશમના સંપૂર્ણ
હવે દેશોપશમનાનું સ્વરૂપ કહે છે.
मूलुत्तरकम्माणं पगडिट्ठितिमादि होड़ चउभेया । देसकरणेहिं देसं समइ जं देससमणा तो ॥ ९५ ॥
मूलोत्तरकर्म्मणां प्रकृतिस्थित्यादिका भवति चतुर्भेदा । देशकरणैः देशं शमयति यत् देशोपशमनाऽतः ॥ ९५ ॥
અર્થ—મૂળ કર્મ તથા ઉત્તર કર્મપ્રકૃતિઓ પ્રકૃતિ, સ્થિતિ આદિ ચાર ભેદે છે એટલે દેશોપશમના પણ ચાર ભેદે છે. દેશકરણોથી તેઓના એક દેશને શમાવે છે માટે તે દેશોપશમના કહેવાય છે.
ટીકાનુ—સર્વોપશમનાનું સંપૂર્ણ સ્વરૂપ કહ્યા પછી હવે દેશોપશમનાનું સ્વરૂપ કહે છે—દેશોપશમના બે પ્રકારે છે : ૧. મૂળપ્રકૃતિ વિષયક, ૨. ઉત્તરપ્રકૃતિ વિષયક. તે એકેક પ્રકૃતિ, સ્થિતિ આદિથી ચાર ચાર પ્રકારે છે. ૧. પ્રકૃતિદેશોપશમના, ૨. સ્થિતિદેશોપશમના, ૩.
૧. અહીં પુરુષવેદનો બંધવિચ્છેદ ક્યાં થાય છે અને બંધવિચ્છેદ થયા પછી જેમ સમયોન બે આવલિકામાં બંધાયેલું અનુપશાન્ત રહે છે તે અહીં રહે કે નહિ, તે કહ્યું નથી. પરંતુ શેષ હકીકત પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનારની જેમ સમજવી એમ કહે છે. એ ઉપરથી એમ લાગે છે કે પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં તેનો બંધવિચ્છેદ થાય છે ત્યાં જ સ્ત્રી કે નપુંસકવેદને ઉદયે શ્રેણિ આરંભનારને પણ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય અને બંધવિચ્છેદ સમયે સમયોન બે આવલિકામાં બંધાયેલું જે અનુપશાંત રહે તે પહેલા જ સમયે ઉપશમાવે છે.
પંચ૨-૯૦