SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦. પંચસંગ્રહ-૨ હાસ્યષક ઉપશમ્યા પછી પુરુષવેદનું ઉપશમ્યા વિનાનું જેટલું દલિક શેષ રહે છે તે આ ગાથામાં કહે છે– जं समए उवसंतं छक्कं उदयट्ठिई तया सेसा । पुरिसे समऊणावलिदुगेण बंधं अणुवसंतं ॥६८॥ . यस्मिन् समये उपशान्तं षट्कमुदयस्थितिस्तदा शेषा । पुरुषे समयोनावलिद्विकेन बद्धमनुपशान्तम् ॥८॥ અર્થ જે સમયે હાસ્યષક ઉપશમ્યું તે સમયે પુરુષવેદનો એક ઉદય સમય અને સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું દલિક ઉપશમ્યા વિનાનું બાકી રહે છે. - ટીકાનુ– જે સમયે હાસ્યાદિ છ નોકષાય સર્વથા ઉપશમ્ય, ઉપશમ્યા એટલે—જેમ વારંવાર પાણીથી છંટાયેલો અને દુઘણ-કૂબાથી કુટાયેલો માટીનો પિંડ શાંત થાય તેમ વિશુદ્ધિરૂપ પાણીથી સિંચાયેલો અને અનિવૃત્તિકરણરૂપ તુઘણ—કૂબાથી કુટાયેલો કર્મરૂપ રેણુનો પુંજ પણ શાંત થાય છે–સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તના, ઉદીરણા, નિદ્ધત્તિ, નિકાચનાકરણ અને ઉદયને અયોગ્ય થાય છે. તે સમયે પુરુષવેદની એક ઉદયસ્થિતિ માત્ર એક ઉદયસમય બાકી રહે છે. શેષ પ્રથમ સ્થિતિ બધી ભોગવાઈ જાય છે. તે પ્રથમ સ્થિતિના ચરમસમયે પુરુષવેદનો છેલ્લો સોળ વરસ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે સાથે બીજી સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દળ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે, શેષ સઘળાની ઉપશમના થઈ ગઈ છે. આને જ અંગે વિશેષ વિચાર આ પ્રમાણે છે–પુરુષવેદની પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે તે આગાલનો વિચ્છેદ થાય છે, માત્ર ઉદીરણા થાય છે. તથા જે સમયે આગાલનો વિચ્છેદ થાય છે, તે સમયથી આરંભી હાસ્યષકનું દલિક પુરુષવેદમાં સંક્રમતું નથી; પરંતુ સંજવલન ક્રોધાદિમાં સંક્રમે છે. કારણ તે સમયથી પુરુષવેદની ૧. સંક્રમણકરણમાં કહ્યા પ્રમાણે સમયનૂન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ તરીકે રહેતો નથી પરંતુ તેની પતટ્ઠહતા નાશ પામે છે. કારણ કે બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે એમ કહે છે. જો પતઘ્રહ તરીકે કાયમ રહે તો જેમ બંધાયેલું બાકી રહે છે તેમ સંક્રમથી આવેલું પણ બાકી રહેવું જોઈએ. અહીં એવો ક્રમ છે કે જે જે સમયે બંધાય છે અને જે અન્યના સંક્રમથી આવે છે તે તે સમયથી આરંભી એક આવલિકા તદવસ્થ પડ્યું રહે છે, તેમાં કોઈ કરણ લાગતું નથી. આવલિકા પૂર્ણ થયા પછી ઉપશમવા અગર સંક્રમવા માંડે છે, તે એક આવલિકા કાળે શાન્ત થઈ જાય છે. દાખલા તરીકે–જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. તે સમયથી આઠમા સમયે (અહીં આવલિકાના ચાર સમય કલ્યા છે) જે બંધાયું અગર અન્યનું સંક્રમથી આવ્યું તે દલિક તે સમયથી એક આવલિકા તો તદવસ્થ પડ્યું રહે છે, આવલિકા પૂર્ણ થયા બાદ તેની ઉપશમના અને અન્યમાં સંક્રમ થવા માંડે તે બંધવિચ્છેદ સમયે ખલાસ થાય. હવે જે સમયે બંધવિચ્છેદ થાય છે તે સમયથી સાતમા સમયે જે બંધાયેલું છે તે બંધવિચ્છેદ પછીના સમયે શાન્ત થાય છે. પરંતુ જો પદ્મહતા નષ્ટ ન થાય અને સંક્રમથી આવવાનું ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી બંધાયેલા દલિકની જેમ સંક્રમથી આવેલ દલિક પણ શેષ રહે અને બંધાયેલું દલિક જેમ બંધવિચ્છેદ પછીના સમયે ઉપશમે છે તેમ સંક્રમેલું દલિક પણ ઉપશમે. પરંતુ તેમ કહેતા નથી પણ બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ બાકી રહે છે એમ કહે છે એટલે પ્રથમ સ્થિતિની
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy