Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૮
-
પંચસંગ્રહ-૨
આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને મન:પર્યવજ્ઞાનાવરણના અને પરમાવધિજ્ઞાનીને અવધિજ્ઞાન-દર્શનાવરણના જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે. શ્રુતકેવલી, મન:પર્યવજ્ઞાની, અને પરમાવધિ જ્ઞાનીને તે તે જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તીવ્ર વિશુદ્ધિના બળથી ઘણા અનુભાગનો નાશ થયેલો હોય છે. વળી ક્ષપકશ્રેણિ પણ આરૂઢ થયેલ તે મહાત્માઓ રસઘાત વડે તે કર્મના ઘણા રસનો નાશ કરે છે. એટલે છેલ્લે બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ઉપરોક્ત પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે. છેલ્લી આવલિકા તે ઉદયાવલિકા છે, તેમાં તો કોઈ કરણની પ્રવૃત્તિ થતી નથી, માટે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય અનુભાગોદીરણા થાય એમ કહ્યું છે. ૬૯
खवगम्मि विग्यकेवलसंजलणाणं सनोकसायाणं । सगसगउदीरणंते निहापयलाणमुवसंते ॥७०॥ क्षपके विजकेवलसंज्वलनानां सनोकषायाणाम् ।
स्वस्वोदीरणान्ते निद्राप्रचलयोरुपशान्ते ॥७०॥ અર્થ—અંતરાય, કેવલઢિકાવરણ, સંજવલન કષાય અને નવનોકષાયના જઘન્ય અનુભાગની ઉદીરણા ક્ષેપક આત્માને પોતપોતાની ઉદીરણાને અંતે થાય છે. નિદ્રા-પ્રચલાની ઉપશાંતમોટે થાય છે.
ટીકાનુ અંતરાય પંચક, કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, સંજવલન ચાર કષાય અને નવ નોકષાય કુલ વીસ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા ક્ષપકશ્રેણિમાં વર્તમાન આત્માને તે તે પ્રકૃતિઓની ઉદીરણાને અંતે એટલે કે તે તે પ્રકૃતિઓની છેલ્લી ઉદીરણા જે સમયે થાય તે સમયે થાય છે. તેમાં પાંચ અંતરાય, કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણની જઘન્ય રસોદીરણા બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ હોય ત્યારે થાય છે. સંજવલનના ચાર કષાય અને ત્રણ વેદના જઘન્ય અનુભાગની ઉદીરણા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે તે તે પ્રકૃતિની છેલ્લી ઉદીરણા જે સમયે થાય તે સમયે થાય છે. અને હાસ્યષકના જઘન્ય અનુભાગની ઉદીરણા અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે. તથા નિદ્રા અને પ્રચલાની ઉપશાંતમોહે તીવ્ર વિશુદ્ધિ હોવાથી જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે. ૭૦
૧. અહીં ટીકામાં તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૭૦મી શ્રીમલયગિરિજી મહારાજ સાહેબની ટીકામાં ચારેય સંજ્વલન અને ત્રણ વેદના જઘન્ય અનુભાગની ઉદીરણા નવમા ગુણસ્થાને બતાવી છે. પરંતુ મૂળ ગાથામાં પોતપોતાની ઉદીરણાના અંતે ક્ષપકશ્રેણિમાં કહી છે. તેથી સંજવલન લોભની જઘન્ય અનુભાગની ઉદીરણા ક્ષેપકને સૂક્ષ્મ સંપરાયની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે ઘટે અને કર્મપ્રકૃતિ ઉદીરણા કરણ ગાથા ૭૦ની ઉપાધ્યાયજી કૃત ટીકામાં પણ તેમજ બતાવેલ છે. અને તે જ વધારે ઠીક લાગે છે. પછી તો બહુશ્રુતો જાણે.
૨. જેઓ નિદ્રાદ્ધિકનો ઉદય ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે નથી માનતા તેમને મતે ઉપશાંતમોહે જઘન્યાનુભાગની ઉદીરણા સમજવી. અને જેઓ ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય માનતા હોય તેમને મતે બારમા ગુણસ્થાનકની બે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય રસોદીરણા થાય એમ સમજવું.