Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૫૯૯
પ્રકારે હોવાથી બસો વીસ—એમ ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કુલ ત્રણસો પાંસઠ ભાંગા થાય છે. ત્યાં અવોદયી પ્રકૃતિઓનો ઉદય અમુક ટાઇમે જ હોય છે અને જ્યારે ઉદય હોય છે ત્યારે જ ઉદીરણા હોય છે. માટે સાદિ અને અધ્રુવ સુપ્રતીત જ છે.
સમ્યક્ત્વીને મિથ્યાત્વની ઉદીરણા હોતી નથી પરંતુ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જાય ત્યારે શરૂ થાય છે માટે સાદિ, સમ્યક્ત્વ ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
મતિજ્ઞાનાવરણીય વગેરે ચૌદ ઘાતી પ્રકૃતિઓની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી અને શેષ નામકર્મની તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમય સુધી હંમેશાં ઉદીરણા હોય છે માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવો આશ્રયી અધ્રુવ હોય છે. અહીંથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી.
(૪) સ્વામી—વેદનીય અને પોત-પોતાના ભવની ચરમ આવલિકા વર્જી આયુષ્યના પ્રમત્તગુણઠાણા સુધીના, નામ અને ગોત્રકર્મના તેરમા ગુણસ્થાનક સુધીના. મોહનીયના ચરમ આવલિકા વિના દશમા ગુણસ્થાનક સુધીના અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયના ચરમ આવલિકા વિના બારમાં ગુણસ્થાનક સુધીના સર્વ જીવો ઉદીરણાના સ્વામી છે.
ઉપઘાત, પ્રત્યેક, સાધારણ અને પરાઘાત આ ચાર પ્રકૃતિઓની ઉદીરણાના સ્વામી શરી૨ પર્યાપ્તિએ પર્યાપ્તા જીવો કહ્યા છે. પરંતુ પરાઘાતના શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા લબ્ધિપર્યાપ્તા અને શેષ ત્રણ પ્રકૃતિઓના ઉત્પત્તિસ્થાને આવેલા સઘળા જીવો સંભવે છે. તથા કર્મપ્રકૃતિ ઉદીરણામાં તે જ પ્રમાણે બતાવેલ છે. વિશેષ સ્પષ્ટતા માટે મૂળ-ભાષાન્તર ઉદીરણાકરણ-ગાથા પાંચની ટિપ્પણ જોવી.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદ પ્રકૃતિઓના બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સુધીના જીવો સ્વામી છે.
ત્રસત્રિક, સ્થાવરત્રિક, ચાર ગતિ, પાંચ જાતિ, ચાર આયુષ્ય, ત્રણ દર્શન-મોહનીય અને ત્રણ વેદ આ પચીસ પ્રકૃતિઓની તે તે નામવાળા વિગ્રહગતિમાં તેમજ અયોગી વિનાના ભવસ્થ યથાસંભવ સઘળા જીવો અને ચારે આનુપૂર્વીના તે તે નામવાળા વિગ્રહગતિમાં વર્તતા જીવો ઉદીરણાના સ્વામી છે. પરંતુ ચારે આયુષ્યમાં ચરમાવલિકા સિવાયના સમજવા.
જેમ——ત્રસો ત્રસનામકર્મ, સાધારણ નામકર્મના ઉદયવાળા સાધારણ નામકર્મના, દેવો દેવગતિનામકર્મ અને દેવાયુષ્યના, પંચેન્દ્રિયો પંચેન્દ્રિય જાતિનામકર્મના, ઉપશમ સમ્યક્ત્વ પામતાં પ્રથમ સ્થિતિની ચરમાવલિકા સિવાયના મિથ્યાર્દષ્ટિઓ મિથ્યાત્વ મોહનીયના, મિશ્રર્દષ્ટિઓ મિશ્રમોહનીયના, ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં ચરમાવલિકા સિવાયના ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિઓ સમ્યક્ત્વમોહનીયના, સ્રીવેદોદયવાળા સ્રીવેદના અને વિગ્રહગતિમાં વર્તમાન નારકો નરકાનુપૂર્વીના ઉદીકો છે. એમ સર્વત્ર સમજવું.
આહારકશરીરી, વૈક્રિયલબ્ધિસંપન્ન વૈક્રિયશરીરી-મનુષ્યો અને તિર્યંચો, દેવો અને નારકો સિવાયના એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિયતિર્યંચો અને મનુષ્યો ઔદારિક શરીર, ઔદારિક