Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 699
________________ પંચસંગ્રહ-૨ ૬૭૦ (જો કે દર્શનમોહનીય ત્રણમાંથી એકેનો બંધ થતો નથી, પણ જે કર્મો બંધાય છે તેનો સ્થિતિબંધ ઉપર કહ્યા પ્રમાણે થાય છે.) અપૂર્વકરણ પૂર્ણ થયા બાદ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. પ્રવેશના પ્રથમ સમયથી જ આરંભી અપૂર્વ ગુણશ્રેણિ, અપૂર્વ સ્થિતિ અને રસનો ઘાત તથા અપૂર્વ સ્થિતિબંધ કરે છે. અપૂર્વકરણ કરતાં આ કરણમાં અનંતગુણ વિશુદ્ધ પરિણામ હોવાથી અને આ કરણમાં ત્રણે દર્શનમોહનીયનો સર્વથા નાશ થવાનો છે માટે અપૂર્વ સ્થિતિઘાતાદિ કરે છે એમ કહ્યું છે. ૩૮ ઉપર કહી તે જ હકીકત આ ગાથામાં કહે છે— देसुवसमणनिकायणनिहत्तिरहियं च होइ दिट्ठितिगं । कमसो असण्णिचउरिंदियाइतुल्लं च ठितिसंतं ॥३९॥ देशोपशमनानिकाचनानिद्धत्तिरहितं च भवति दृष्टित्रिकम् । क्रमशः असंज्ञिचतुरिन्द्रियादितुल्यं च स्थितिसत्कर्म ॥३९॥ અર્થ—અનિવૃત્તિકરણમાં દેશોપશમના, નિકાચના, નિદ્ધત્તિ રહિત દૃષ્ટિત્રિક થાય છે. તથા વચમાં હજારો સ્થિતિઘાત થયા બાદ અનુક્રમે અસંજ્ઞીપંચેન્દ્રિય અને ચતુરિન્દ્રિયાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે. ટીકાનુ—અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આરંભી દર્શનમોહનીયની ત્રણે પ્રકૃતિઓમાં દેશોપશમના, નિકાચના અને નિદ્ધત્તિ એ ત્રણ કરણમાંથી એક પણ કરણ પ્રવર્તતું નથી. ત્રણે દર્શનમોહનીયની સ્થિતિસત્તા સ્થિતિઘાતાદિથી ઓછી થતાં થતાં હજારો સ્થિતિઘાત થયા બાદ અસંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિસત્તા સમાન સત્તા થાય છે. ત્યારબાદ વળી હજારો સ્થિતિઘાત થયા બાદ ચઉરિન્દ્રિયની સ્થિતિસત્તા સમાન સત્તા થાય છે. ત્યારપછી પણ તેટલા જ સ્થિતિઘાતો થયા બાદ ત્રીન્દ્રિયની સ્થિતિસત્તા સમાન સત્તા થાય છે. ત્યારપછી પણ હજારો સ્થિતિઘાતો થયા બાદ બેઇન્દ્રિયની સ્થિતિસત્તા સરખી સ્થિતિની સત્તા થાય છે. ત્યારપછી તેટલા જ—હજારો સ્થિતિઘાતો થાય ત્યારે એકેન્દ્રિયની સ્થિતિસત્તા જેટલી સત્તા થાય છે. ત્યારપછી પણ હજારો સ્થિતિઘાત થયા પછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની સત્તા બાકી રહે છે. ૩૯ ઉપર કહી તે જ હકીકત આ ગાથામાં કહે છે— ठितिखंडसहस्साइं एक्क्क्के अंतरंमि गच्छंति । पलिओवमसंखंसे दंसणसंते तओ जाए ॥४०॥ स्थितिखण्डसहस्त्राणि एकैकस्मिन्नन्तरे गच्छन्ति । पल्योपमसंख्येयांशे दर्शनसत्कर्मणि ततः जाते ॥४०॥ અર્થ—અનુક્રમે અસંશી અને ચરિન્દ્રિયાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે. એકેકા આંતરામાં હજારો સ્થિતિઘાતો થાય છે, ત્યારપછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની

Loading...

Page Navigation
1 ... 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818