Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 697
________________ ૬૬૮ પંચસંગ્રહ-૨ સમયો એટલાં જ વિશુદ્ધિનાં સ્થાનકો છે. અપૂર્વકરણની જેમ અહીં પણ પૂર્વોક્ત સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થોનો એકીસાથે આરંભ કરે છે. હવે તે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધિનું અંતરકરણ કરે છે. અહીં અનંતાનુબંધિનો ઉદય નહિ હોવાથી નીચે એક આવલિકા મૂકીને ઉપરના અંતર્મુહૂર્તપ્રમાણ અંતરકરણનાં દલિકોને બધ્યમાન પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. અને અભિનવ સ્થિતિબંધ કે સ્થિતિઘાત કરતાં જેટલો વખત જાય તેટલા જ વખતમાં ખાલી કરે છે. પ્રથમ સ્થિતિના આવલિકાગત દલિકો સ્ટિબુકસંક્રમ વડે વેદ્યમાન પરપ્રકૃતિમાં સંક્રમી ખલાસ થાય છે. જે સમયે અન્તરકરણક્રિયા શરૂ થાય તેના બીજા સમયથી દ્વિતીય સ્થિતિગત અનંતાનુબંધિના દલિકને ઉપશમાવવા માંડે છે. પ્રથમ સમયે થોડા ઉપશમાવે છે, બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે, તેનાથી ત્રીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે. એમ અંતર્મુહૂર્ત કાળમાં સંપૂર્ણપણે ઉપશમાવે છે. ઉપશમાવે એટલે અંતર્મુહૂર્ત પર્યત ઉદય, સંક્રમણ, ઉદ્વર્તનાઅપવર્તના, નિદ્ધત્તિ, નિકાચના અને ઉદીરણાને અયોગ્ય કરે છે. ઉપશમેલા દલિકમાં અંતર્મુહૂર્ત પર્વત ઉપરોક્ત કોઈ કારણો લાગતાં નથી, તેમ પ્રદેશ કે રસથી ઉદય પણ થતો નથી. આ પ્રમાણે જે આચાર્ય મહારાજ અનંતાનુબંધિની ઉપશમના માને છે તેમના મતે તેની ઉપશમનાનું સ્વરૂપ કહ્યું. હવે દર્શનમોહનીયની ક્ષપણાનો વિધિ કહે છે. दंसणखवणस्सरिहो जिणकालीओ पुमट्ठवासुवरि । अणणासकमा करणाइ करिय गुणसंकमं तहय ॥३६॥ दर्शनक्षपकाहः जिनकालिकः पुमान् वर्षाष्टकस्योपरि (वर्तमानः) अनन्तानुबन्धिनाशक्रमेण करणानि कृत्वा गुणसंक्रमं तथा च ॥३६॥ અર્થ–આઠથી અધિક વરસના આયુવાળો જિનકાલિક મનુષ્ય દર્શનમોહનીય ખપાવવાને લાયક છે. તે અનંતાનુબંધિની વિસંયોજનામાં કહેલ ત્રણ કરણના ક્રમે કરણો કરીને તેનો નાશ કરે છે. ગુણસંક્રમ પણ તે જ પ્રમાણે કરે છેતેવી જ રીતે થાય છે. ટીકાન–જે કાળમાં તીર્થકરો વિચરે છે તે કાળમાં ઉત્પન્ન થયેલો, આઠ વરસ કરતાં અધિક આયુવાળો, પ્રથમ સંઘયણી મનુષ્ય દર્શન મોહનીય-મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયની ક્ષપણા કરવા માટે લાયક છે, અને તે અનંતાનુબંધિની વિસંયોજનામાં બતાવ્યા પ્રમાણે ત્રણ કરણો તથા ગુણસંક્રમ કરીને ત્રણે દર્શનમોહનીયનો સર્વથા નાશ કરે છે. એના જ સંબંધમાં વિશેષ વિચાર કરે છે–દર્શનમોહનીયનો નાશ કરવા માટે પ્રયત્ન કરતો આત્મા યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરે છે. આ ત્રણે કરણોનું સ્વરૂપ પહેલાં કહ્યું છે તે પ્રમાણે સમજવાનું છે. એટલે આ કરણોમાં પૂર્વે સ્થિતિઘાતાદિ જે કંઈ કરવાનું કહ્યું છે તે પ્રમાણે અહીં પણ યથાયોગ્ય રીતે કરે છે. પ્રથમ ગુણઠાણે અલ્પવિશુદ્ધિ હતી તેથી વધારે કાળમાં થોડું કાર્ય થતું હતું, દર્શનમોહનીયની ક્ષપણા ચોથાથી સાતમા સુધીમાં

Loading...

Page Navigation
1 ... 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818