Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
છે. ત્યારપછી ફરી પણ પલ્યોપમના (અ)સંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્તકાળે ઘાત કરે છે. અને તેનાં દલિકોને પ્રથમ કહેલા પ્રકારે જ નીચે નાખે છે. આવી રીતે અપૂર્વકરણના કાળમાં ઘણા હજાર સ્થિતિઘાતો કરે છે. અને તેથી જ અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિની સત્તા હતી તે કરતાં તેના ચરમસમયે સંખ્યાતમા ભાગની સત્તા રહે છે. આવી રીતે સ્થિતિઘાતનું સ્વરૂપ કહ્યું. ૧૨
હવે રસઘાતનું સ્વરૂપ કહે છે—
असुभाणंतमुहुत्तेणं हणइ रसकंडगं अनंतंसं ।
किरणे ठितिखंडाणं तंमि उ रसकंडगसहस्सा ॥ १३ ॥
अंशुभानामन्तर्मुहूर्त्तेन हन्ति रसकण्डकं अनन्तांशम् । किरपो स्थितिखण्डानां तस्मिंस्तु रसकण्डकसहस्त्राणि ॥१३॥
૬૪૯
અર્થ—સ્થિતિઘાત કરતાં અશુભ પ્રકૃતિઓના અનંત વિભાગરૂપ સત્તાગત રસ કંડકનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. એક સ્થિતિઘાત કરતાં એક સ્થિતિઘાત જેટલા કાળમાં હજારો ૨સઘાત થાય છે.
ટીકાનુ—અશુભ પ્રકૃતિઓનો જે રસ સત્તામાં છે તેના અનંતમા ભાગને મૂકીને શેષ સઘળા રસને અંતર્મુહૂર્વકાલમાં નાશ કરે છે. ત્યારપછી ફરી પણ પહેલાં મૂકેલા અનંતમા ભાગના અનંતમા ભાગને મૂકીને શેષ રસને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. આવી રીતે એક એક સ્થિતિઘાત જેટલા કાળમાં અનેક હજાર૧ ૨સઘાત કરે છે. હજારો સ્થિતિઘાતો વડે અપૂર્વકરણ પૂર્વ થાય છે. તાત્પર્ય એ કે અપૂર્વકરણના કાળમાં હજારો વાર સ્થિતિઘાત થાય છે, અને એક સ્થિતિઘાત જેટલા કાળમાં હજારો વાર રસઘાત થઈ જાય છે. આ પ્રમાણે રસઘાતનું સ્વરૂપ કહ્યું. ૧૩
હવે ગુણશ્રેણિનું સ્વરૂપ કહે છે—
ગોઠવાયાં હતાં. સ્થિતિઘાત વખતે માત્ર અંતર્મુહૂર્તમાં જ ઉપર કહી તેટલી સ્થિતિમાં રચાયેલાં દલિકો અન્ય સ્થિતિઓ કે જેનો સ્થિતિઘાત નથી થવાનો તેની સાથે ભોગવાય તેવાં કરે છે. તેથી તેટલી સ્થિતિમાં ભોગવવા યોગ્ય દલિકો રહેતાં નથી, માટે સ્થિતિ ઓછી થઈ એમ કહેવાય છે.
૧. ૨સઘાત એટલે બંધ વખતે આત્માએ કાષાયિક અધ્યવસાયો દ્વારા કર્મપુદ્ગલોમાં જે શક્તિ ઉત્પન્ન કરી હતી તે શક્તિ ઓછી કરવી તે. અહીં વિશુદ્ધપરિણામના યોગે આત્માના ગુણોની બંધ વખતે ઉત્પન્ન થયેલી આવારક શક્તિને વિશુદ્ધિના પ્રમાણમાં ઓછી કરે છે, સત્તામાં રહેલા અશુભ પ્રકૃતિના રસના અનંતમા ભાગને છોડી અનંતા ભાગરૂપ એક ખંડને અંતર્મુહૂર્ત કાળે ઘાત કરે છે, એટલે કે તે ખંડમાંના અમુક પ્રમાણ રસને પહેલા સમયે અમુક પ્રમાણ રસને બીજા સમયે, એમ ક્ષય કરતાં ચરમ સમયે, તે રસખંડનો સંપૂર્ણપણે નાશ થાય છે. ત્યાર બાદ પહેલાં જે અનંતમો ભાગ મૂક્યો હતો તેનો અનંતમો ભાગ મૂકી અનંતા ભાગને ઉપરોક્ત રીતે અંતર્મુહૂર્ત કાળે ઘાત કરે છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી ઉત્તરોત્તર અલ્પ અલ્પ રસવાળાં દલિકો નીચે ઊતરે છે. એટલે અધ્યવસાયની નિર્મળતા પણ વધતી જાય છે.
પંચ૦૨-૮૨