Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
अशुभप्रकृतीनामेवं इतरासां उत्कृष्ट स्थितिबन्धे ।
सर्वोत्कृष्टहेतुः तु भवत्येवमेवाशेषम् ॥७४॥ અર્થ—અશુભપ્રકૃતિઓનું પૂર્વે કહ્યું તે પ્રમાણે સમજવું. ઇતર-શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હેતુભૂત સર્વોત્કૃષ્ટ કષાયોદયસ્થાનથી આરંભી પૂર્વે કહ્યું તે પ્રમાણે સઘળું કહેવું.
ટીકાનું–જઘન્ય સ્થિતિબંધમાં હેતુભૂત અસંખલોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા કષાયોદયમાંના જઘન્ય કષાયોદયથી આરંભી સર્વોત્કૃષ્ટ કષાયોદય પર્વત ઉત્તરોત્તર કષાયોદયમાં વધારે વધારે રસબંધના હેતુભૂત અધ્યવસાયો હોય, આ જે હકીકત પૂર્વની ગાથામાં કહી તે– જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, અશાતા વેદનીય, મિથ્યાત્વમોહનીય, સોળ કષાય, નવ નોકષાય, નરકાયુ, પંચેન્દ્રિયવર્જીને જાતિચતુષ્ટય, સમચતુરગ્નવર્જીને પાંચ સંસ્થાન, પ્રથમસંઘયણ વર્જીને પાંચ સંઘયણ, અશુભવર્ણાદિ નવ, નરકદ્ધિક, તિર્યગઢિક, અપ્રશસ્તવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદશક, નીચગોત્ર, અને અંતરાયપંચક એ સિત્યાશી અશુભપ્રકૃતિઓ માટે જાણવી.
ઇતર-સાતાવેદનીય, તિર્યગાયુ, મનુષ્યાય, દેવાયુ, દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, શરીર પાંચ, સંઘાતન પાંચ, બંધન પંદર, સમચતુરગ્ન સંસ્થાન, વજર્ષભનારાચ સંઘયણ, ત્રણ અંગોપાંગ, શુભવર્ણાદિ અગિયાર, પરાઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસદશક, નિર્માણ, તીર્થંકર નામકર્મ અને ઉચ્ચગોત્ર અગણોતેર શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં હેતુભૂત જે સર્વોત્કૃષ્ટ કષાયોદયસ્થાન છે ત્યાંથી આરંભી પૂર્વોક્ત પ્રકારે સઘળું વિપરીત સમજવાનું છે. તે આ પ્રમાણે–પુન્યપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિમાં હેતુભૂત છેલ્લા સર્વોત્કૃષ્ટ કષાયોદયસ્થાનમાં રસબંધના હેતુભૂત અધ્યવસાયો થોડા, તે કરતાં દ્વિચરમ કષાયોદયસ્થાનમાં વધારે, તે કરતાં ત્રિચરમ (છેલ્લેથી ગણતાં ત્રીજા) કષાયોદયસ્થાનમાં વધારે, તે કરતાં ચતુચરમછેલ્લેથી ગણતાં ચોથા કષાયોદયસ્થાનમાં વધારે, એ પ્રમાણે વધારે વધારે ત્યાં સુધી કહેવું ચાવત સર્વ જઘન્યસ્થિતિબંધમાં હેતુભૂત કષાયોદયસ્થાનોમાંનું સર્વ જઘન્ય કષાયોદયસ્થાન આવે. આ પ્રમાણે અનંતરોપનિધા વડે પુન્યપ્રકૃતિઓમાં વૃદ્ધિનો વિચાર કર્યો..
હવે પરંપરોપનિધા વડે વિચારે છે–ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાનથી આરંભી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદયસ્થાનો અધોભાગે ઓળંગીને નીચે જે કષાયોદયસ્થાન આવે તેમાં ઉત્કૃષ્ટકષાયોદય વખતે પુન્યપ્રકૃતિઓના રસબંધના નિમિત્તભૂત જે અધ્યવસાયો હતા તે કરતાં બમણા થાય છે. ફરી ત્યાંથી તેટલાં જ કષાયોદયસ્થાનો અધોભાગે ઓળંગીને પછી જે કષાયોદયસ્થાન આવે તેની અંદર બમણા થાય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું યાવત જઘન્ય કષાયોદયસ્થાપ આવે.
વચમાં જે દ્વિગુણ-વૃદ્ધિસ્થાનો થાય છે તે સરવાળે આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયો હોય તેટલો થાય છે.
આ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શુભ-અશુભપ્રકૃતિઓના પ્રત્યેકનાં