Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬૬
પંચસંગ્રહ-૨
ઉત્કૃષ્ટ સંક્લેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. એટલે અંતઃકોડાકોડીથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીની સઘળી સ્થિતિ ડાયસ્થિતિ કહેવાય છે. અને તે ડાયસ્થિતિ અંતઃકોડાકોડી ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ હોવાથી કંઈક ન્યૂન ઉત્કૃષ્ટ કર્મ પ્રમાણ થાય છે. તે ડાયસ્થિતિ કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. વ્યાઘાતે આ સમય ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિ ઉત્કૃષ્ટ અતિસ્થાપના છે.
અહીં વ્યાઘાત એટલે સ્થિતિઘાત છે. એ વ્યાઘાત પ્રાપ્ત થાય ત્યારે ઉપરના સ્થાનકના દલિકને અપવર્તાતી સ્થિતિ સાથે ઉપરોક્ત સ્વરૂપવાળા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનકો ઓળંગી અંતઃકોડાકોડીમાં નાખે છે, માટે સમય ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિ ઉત્કૃષ્ટ અતીત્થાપના કહીં છે. આ ઉત્કૃષ્ટ કંડક સમયમાત્ર ન્યૂન પણ કંડક કહેવાય છે, જેને એટલી સ્થિતિની સત્તા હોય. એમ બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન પણ કંડક કહેવાય છે, એ પ્રમાણે ન્યૂન થતા થતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પણ કંડક કહેવાય છે, અને તે જઘન્ય કંડક છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ વ્યાઘાતે જઘન્ય અતીસ્થાપના છે.
હવે અલ્પબહુત્વ કહે છે—અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. કેમ કે તે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ છે. તેનાથી જઘન્ય અતીત્થાપના ત્રણ સમયન્યૂન બમણી છે.
વ્યાઘાત
નિક્ષેપથી ત્રણ સમયન્યૂન બમણી કઈ રીતે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે. વિના જઘન્ય અતીત્થાપના સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ છે, એ પહેલાં કહેવાઈ ગયું છે. આવલિકાને અસત્કલ્પનાએ નવ સમય પ્રમાણ કલ્પીએ તો સમયન્યૂન બે તૃતીયાંશ ભાગ પાંચ સમય પ્રમાણ થાય, એટલી જઘન્ય અતીત્થાપના છે. જઘન્ય નિક્ષેપ સમયાધિક આવલિકાનો એક તૃતીયાંશ ભાગ છે, અને એ સમયાધિક એક તૃતીયાંશ ભાગ અસત્કલ્પનાએ ચાર સમય પ્રમાણ થાય છે. તે જઘન્ય નિક્ષેપને બમણો કરીએ અને તેમાંથી ત્રણ ન્યૂન કરીએ એટલે પાંચ સમય પ્રમાણ રહે છે કે જે અતીત્થાપનાનું જઘન્ય પ્રમાણ છે. તેથી જ એમ કહ્યું છે કે જઘન્ય નિક્ષેપથી જધન્ય અતીસ્થાપના ત્રણ સમય વડે ન્યૂન બમણી છે.
તેનાથી વ્યાઘાત વિના ઉત્કૃષ્ટ અતીત્થાપના વિશેષાધિક છે. કેમકે તે પૂર્ણ એક આવલિકા પ્રમાણ છે. તેનાથી વ્યાઘાતે ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યાતગુણ છે કેમ કે તે ઉત્કૃષ્ટ ડાયસ્થિતિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ ડાયસ્થિતિનું પ્રમાણ ઉપર આ ગાથામાં જ કહ્યું છે. તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. કેમ કે તે સમયાધિક બે આવલિકાન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. (અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપનું પ્રમાણ પહેલાં કહેવાઈ ગયું છે.) તેનાથી સંપૂર્ણ કર્મ સ્થિતિ વિશેષાધિક છે. ઉત્કૃષ્ટ નિક્ષેપમાં જે ન્યૂન કહ્યું, તે આમાં ભળી જાય છે માટે,
૧. આ ગ્રંથમાં પૂિળા પદ ઉત્કૃષ્ટ સ્થિતિના વિશેષણ તરીકે બતાવ્યું છે. એટલે ડાયસ્થિતિને કંઈક ન્યૂન કર્મ સ્થિતિ પ્રમાણ એટલે કે અંતઃકોડાકોડી ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણ કહી છે અને કર્મપ્રકૃતિમાં એ જ પદને ડાયસ્થિતિના વિશેષણ તરીકે ગણ્યું છે. એટલે કંઈક ન્યૂન ડાયસ્થિતિ કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ કહ્યું છે, તત્ત્વ બહુશ્રુત જાણે.
૨. જેટલી સ્થિતિનો ઘાત કરે છે, તેનું દલિક ઘાત કરાતાં સ્થાનકોમાં નાખતો નથી માટે ઘાત્યમાન સ્થિતિ અતીસ્થાપના છે.