Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૨૩
અસંખ્યાતમા ભાગપ્રમાણ આયુવાળો દેવ અથવા નારકી થાય. પોતપોતાના આયુના ચરમ સમયે વર્તમાન તે દેવ અથવા નારકીને યથાયોગ્ય રીતે દેવગતિ, નરકગતિ અને વૈક્રિય અંગોપાંગની જઘન્ય સ્થિતિની ઉદીરણા થાય છે. તથા અસંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવેલા પરંતુ વિગ્રહગતિમાં પોતપોતાના આયુના ત્રીજે સમયે વર્તમાન તે જ દેવ અથવા નારકીને અનુક્રમે દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. ૩૫
वेयतिगं दिद्विदुगं संजलणाणं च पढमट्ठिईए । समयाहिगालियाए सेसाए उवसमे वि दुसु ॥३६॥ वेदत्रिकस्य दृष्टिद्विकस्य संज्वलनानां च प्रथमस्थितेः ।
समयाधिकावलिकायां शेषायामुपशमेऽपि द्वयोः ॥३६॥ અર્થ–પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે વેદત્રિક, દૃષ્ટિદ્ધિક અને સંજવલન કષાયોની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. સમ્યક્ત મોહનીય અને સંજવલન લોભની બંને શ્રેણિમાં અને શેષ પ્રકૃતિઓની ક્ષપક શ્રેણિમાં જ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
ટીકાનું–જ્યારે અંતરકરણ-આંતરું પાડવાની ક્રિયા શરૂ કરે ત્યારે નીચેની નાની સ્થિતિ એ પ્રથમ સ્થિતિ અને ઉપરની મોટી સ્થિતિ એ બીજી સ્થિતિ કહેવાય છે. પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે વેદત્રિક–સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદ, દૃષ્ટિ દ્વિક–મિથ્યાત્વ અને સમ્યક્ત મોહનીય અને સંજવલન કષાયોક્રોધ, માન, માયા અને લોભ એ નવ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપરની સમયમાત્ર સ્થિતિ જ ઉદીરણા યોગ્ય હોવાથી તે સમયપ્રમાણ સ્થિતિની ઉદીરણા રૂપ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માત્ર સમ્યક્વમોહનીય અને સંજવલન લોભની ઉપશમ અને ક્ષપક બંને શ્રેણિમાં અને શેષ પ્રકૃતિઓની ક્ષપકશ્રેણિમાં “જે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. “વેતિ' ઇત્યાદિ પદોમાં પ્રાકૃતપણાને લઈ ષષ્ઠીના અર્થમાં પ્રથમ વિભક્તિ થઈ છે.
एगिंदागय अइहीणसत्त सण्णीसु मीसउदयंते । पवणो सटिइ जहण्णगसमसत्त विउव्वियस्संते ॥३७॥
૧. અહીં સમ્યક્ત મોહનીય અને સંજ્વલન લોભની બંને શ્રેણિમાં અને શેષ પ્રકૃતિઓની માત્ર ક્ષપકશ્રેણિમાં જ જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે, પરંતુ બંને શ્રેણિમાં, કહી નથી. કેમ ન કહી તેનું કારણ સમજાતું નથી. કેમ કે બંને શ્રેણિમાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની સમય પ્રમાણ સ્થિતિ એ ઓછામાં ઓછી સ્થિતિ છે, અને તેની ઉદીરણા જઘન્ય ઉદીરણા કહેવાય છે. તત્ત્વ બહુશ્રુત જાણે. અહીં મિથ્યાત્વ મોહનીયની તો પ્રથમ સમ્યક્ત પ્રાપ્ત કરતાં પ્રથમ સ્થિતિની સમયાધિક સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય સ્થિત્યુદીરણા સંભવે છે. કેમ કે શ્રેણિમાં તો સર્વથા ઉપશમ કરતાં કે ક્ષય કરતાં તેનો રસોદય હોતો નથી.