Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૧૦
પંચસંગ્રહ-૨
પ્રમાણે મિથ્યાદષ્ટિને સંક્લેશ અને વિશુદ્ધ પરિણામે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિત્યુદીરણા થાય છે. માટે તે બંને સાદિ-સાંત છે.
તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, નામ અને ગોત્ર એ પાંચ કર્મની અજઘન્ય સ્થિત્યુદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયની જઘન્ય સ્થિત્યુદીરણા ક્ષીણકષાયને તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે હોય છે. શેષ કાલે અજઘન્ય હોય છે. તે અજઘન્ય સ્થિત્યુદીરણા અનાદિ કાળથી થતી હોવાથી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે.
નામ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિત્યુદીરણા સયોગી કેવલીને ચરમ સમયે હોય છે. તે એક સમયમાત્ર થતી હોવાથી સાદિ-સાંત છે તે સિવાયની સઘળી અજઘન્ય સ્થિત્યુદીરણા છે. તે અનાદિ કાળથી થાય છે માટે અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે. શેષ જઘન્ય ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સાદિ-સાત ભાગે છે.
તેમાં પાંચે કર્મની જઘન્ય સ્થિત્યુદીરણામાં સાદિ સાંત ભંગ અજઘન્ય સ્થિત્યુદીરણાના પ્રસંગે કહેલ છે. ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ સ્થિત્યુદીરણા મોહનીય કર્મની જેમ મિથ્યાદૃષ્ટિને વારાફરતી થતી હોવાથી સાદિ-સાંત છે.
આ પ્રમાણે મૂળકર્મની સાદિ આદિ પ્રરૂપણા કહી, હવે ઉત્તર પ્રકૃતિમાં સાઘાદિ પ્રરૂપણા કરતાં આ ગાથા કહે છે–
मिच्छत्तस्स चऊहा धुवोदयाणं तिहा उ अजहन्ना । सेसविगप्पा दुविहा सव्वविगप्पा उ सेसाणं ॥२७॥ मिथ्यात्वस्य चतुर्दा ध्रुवोदयानां त्रिधा चाजघन्या ।
शेषविकल्पा द्विविधाः सर्वविकल्पास्तु शेषाणाम् ॥२७॥ અર્થ–મિથ્યાત્વની અજઘન્ય સ્થિત્યુદીરણા ચાર પ્રકારે અને ધ્રુવોદયીની ત્રણ પ્રકારે છે. તેઓના શેષ વિકલ્પો બે પ્રકારે છે. અને શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો બે પ્રકારે છે.
ટીકાનુ—મિથ્યાત્વની અજઘન્ય સ્થિત્યુદરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે–પ્રથમ ઉપશમ સમ્યક્ત ઉત્પન્ન કરતાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે મિથ્યાષ્ટિને જઘન્ય સ્થિતિની ઉદીરણા થાય છે. અને તે એક સમય પર્યત જ થતી હોવાથી સાદિ, સાંત છે. સમ્યક્તથી પડી મિથ્યાત્વે જતાં મિથ્યાત્વની અજઘન્ય સ્થિત્યુદીરણાની શરૂઆત થાય માટે સાદિ, હજુ સુધી જેઓએ પ્રથમ સમ્યક્ત પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનંત, અને ભવ્યને સાંત સ્થિત્યુદીરણા હોય છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, તૈજસ સપ્તક, વર્ણાદિ વસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, અને નિર્માણ એ ધ્રુવોદયી સુડતાળીસ પ્રવૃતિઓની અજઘન્ય સ્થિત્યુદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે-જ્ઞાનાવરણ પંચક, અંતરાય પંચક અને દર્શનાવરણ ચતુષ્ક એ ચૌદ પ્રકૃતિની જઘન્યસ્થિત્યુદીરણા ક્ષીણકષાય