Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્વર્તના અપવર્તનાકરણ સારસંગ્રહ
૪૮૩
ત્રીજા ભાગ પ્રમાણ અને અસત્કલ્પનાએ ચાર સમયપ્રમાણ હોવાથી તે હવે પછીના પદાર્થોથી અલ્પ, તે થકી નિર્વાઘાત અપવર્તનામાં જઘન્ય અતીત્થાપના આવલિકાના સમય ન્યૂન બે તૃતીયાંશભાગ પ્રમાણ અને અસત્કલ્પનાએ પાંચ સમય પ્રમાણ હોવાથી ત્રણ ન્યૂન દ્વિગુણ. તેથી નિર્વાઘાત અપવર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના આવલિકા પ્રમાણ હોવાથી વિશેષાધિક, તે થકી વ્યાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના સમયોન કંડક પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ, તેનાથી સમયાધિક બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિઓ ઉત્કૃષ્ટનિક્ષેપના વિષયભૂત હોવાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક, અને તેથી પણ સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિ સમયાધિક બે આવલિકા અધિક હોવાથી સંપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે, માટે વિશેષાધિક છે.
સ્થિતિ ઉદ્ધના અને અપવામાં આવતા પદાર્થોનું સંયુક્ત અલ્પ-બહુ
વ્યાઘાત ઉદ્વર્તનામાં જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી પછીના પદાર્થોથી અલ્પ અને પરસ્પર બંને તુલ્ય છે. તે થકી નિર્વાઘાત અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ આવલિકાના સમયાધિક ત્રીજા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ, તે થકી એ જ નિર્ચાઘાત અપવર્તનામાં જઘન્ય અતીત્થાપના સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમયપ્રમાણ હોવાથી ત્રણ સમય ન્યૂન દ્વિગુણ, તેનાથી નિર્વાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના આવલિકા પ્રમાણ હોવાથી વિશેષાધિક, તે થકી ઉદ્ધનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ. તેનાથી વ્યાઘાત અપવર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના સમયજૂન ડાયસ્થિતિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ. તે થકી ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ સમયાધિક આવલિકા સહિત અબાધાન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી વિશેષાધિક, તેનાથી અપવર્ણનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી વિશેષાધિક અને તે થકી પણ સંપૂર્ણ કર્મસ્થિતિ સમયાધિક બે આવલિકા અધિક હોવાથી વિશેષાધિક છે.
અનુભાગ ઉદ્વર્તના જે જે સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સ્થિતિની ઉદ્વર્તના અથવા અપવર્ણના થાય છે, તે તે દલિકોના અનુભાગની પણ ઉદ્ધના અને અપવર્ણના થાય છે. માટે સામાન્યથી સ્થિતિ ઉદ્વર્તના અને સ્થિતિ અપવર્તનાની જેમ જ અનુભાગ ઉદ્વર્તન અને અનુભાગ અપવર્તન પણ હોય છે. પરંતુ કોઈપણ એક સ્થિતિસ્થાનનાં દલિકોમાં રસસ્પદ્ધકો અનંતા હોય છે. માટે અનુભાગના વિષયમાં સ્પદ્ધકોની અપેક્ષાએ કેટલાક ઠેકાણે અનંતગુણ આવશે. - જેમ નિર્વાઘાત ઉદ્વર્તનામાં ચરમ સ્થિતિસ્થાનથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત આવલિકા પ્રમાણ ચરમસ્થિતિસ્થાનો નિક્ષેપ અને અતીત્થાપના રૂપ હોવાથી ઉધનાને યોગ્ય નથી. તેમ તેટલાં સ્થિતિસ્થાનોમાં રહેલ રસસ્પદ્ધકો પણ ઉદ્વર્તનને યોગ્ય નથી. પરંતુ તેની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનગત રસસ્પદ્ધકોની ઉદ્વર્તન થાય ત્યારે તે દલિકોના સ્પર્ધકોને તેની ઉપરના આવલિકાગત સ્પર્ધકોને છોડી તેની ઉપરના ચરમ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનાં દલિકોમાં રહેલ અનંત સ્પર્ધકોની સમાન અધિક રસવાળા કરે છે અને