Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૮૭
. એ કંડકના સંખ્યાતા ભાગોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી સાતાવેદનીયના પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ એમ પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનથી એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પૂર્વ-પૂર્વ ઉપર-ઉપરના સ્થિતિસ્થાનથી તેની પછી પછીના નીચેના સ્થિતિસ્થાનનો નિરંતર ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.
તે પ્રથમ કંડકના નીચેના અંતિમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના જે સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાનાં બાકી છે તેમાંના પ્રથમના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તેના કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના શરૂઆતના બીજા કંડકમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેના કરતાં તે જ બીજા કંડકના શેષ સ્થિતિસ્થાનોમાં ઉપર-ઉપરના સ્થિતિસ્થાનથી નીચેનીચેના સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. આ બીજા કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે પછી શરૂઆતના ઉપરના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનથી નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક એકથી અનંતગુણા હોય છે, તે ઉપરના ત્રીજા કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના કંડકના સંખ્યાતમા ભાગમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે.
એમ આક્રાંત સ્થિતિઓના ઉપર ઉપરના કંડકથી નીચે નીચેના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર એક એકથી ઉત્કૃષ્ટ રસ અને આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામાં ભાગમાંના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણઅનંતગુણ ત્યાં સુધી હોય છે કે યાવતુ સાતવેદનીયની આક્રાંત સ્થિતિઓ પૂર્ણ થાય અને અસતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધ સમાન સતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધની નીચે એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. અર્થાત્ બધી આક્રાંત સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થઈ જાય અને તેની નીચેના કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. માત્ર ઉત્કૃષ્ટ રસ બાકી રહે.
આ કંડકને પૂર્વાચાર્યોએ સાકારોપયોગ પ્રાયોગ્ય સંજ્ઞા આપેલ છે. આ કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આ જ કંડકના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો અર્થાત આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી તેની નીચેના બીજા કંડકમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકમાંના ઉપરના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.