Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
દેવાયુષ્યનો અપ્રમત્તયતિ અને શેષ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાર્દષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિય કરે છે પરંતુ ચારે આયુની બંધ આવલિકા વીત્યા બાદ સ્વ-સ્વ આયુષ્યની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી, વળી આયુષ્ય બંધ થયા પછી ગુણસ્થાનકોનું પણ પરાવર્તન થઈ શકે છે માટે સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાર્દષ્ટિ ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામી છે.
૪૧૪
સાતાવેદનીય, યશઃકીર્તિ અને ઉચ્ચ ગોત્ર આ ત્રણ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસસંક્રમના સ્વામી બારમા-તેરમા ગુણસ્થાનકવર્તી અને શેષ દેવદ્વિક વૈક્રિય સપ્તક, પંચેન્દ્રિય જાતિ, આહારક- સપ્તક, તૈજસ-કાર્પણ સપ્તક, સમચતુરસ્રસંસ્થાન, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ, તીર્થંકર નામકર્મ, પ્રશસ્ત વિહાયોગતિ, શુભવર્ણાદિ અગિયાર અને ત્રસનવક આ એકાવન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામી ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગથી સયોગી ગુણસ્થાનક સુધીના જીવો છે.
ક્ષપક નવમા ગુણસ્થાનકે અંત૨કરણ કર્યા પછી નવ નોકષાય અને ચાર સંજ્વલનનો જે વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે તે જ સમયે જધન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે. ટીકામાં સામાન્યથી ચારે સંજ્વલનના જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી ક્ષપક અનિવૃત્તિકરણવર્તી કહ્યા છે પરંતુ સંજ્વલન લોભના જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી ક્ષપક સૂક્ષ્મસંપરાયવર્તી સમયાધિક આવલિકા શેષ રહે તે જ સમયે જઘન્યસ્થિતિ સંક્રમના સ્વામી કહેલ હોવાથી તે જ સંભવે છે.
પાંચ જ્ઞાનાવરણીય, છ દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ સોળના બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જધન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે, પરંતુ નિદ્રાદ્વિકના સાધિક બે આવલિકા શેષ હોય ત્યારે સંભવે એમ લાગે છે.
તે તે પ્રકૃતિઓની સત્તા વિનાના જીવને પ્રથમ તત્કાયોગ્ય જઘન્ય અનુભાગ બંધ કરી બંધાવલિકા બાદ આહારકસપ્તકના પ્રમત્તયતિ, વૈક્રિયસપ્તક, દેવદ્વિક અને નરકદ્વિકના પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય, મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્રના સૂક્ષ્મનિગોદ, તીર્થંકર નામકર્મના અવિરત સમ્યગ્દષ્ટિ, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીયના ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર પોતપોતાના ચરમસ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ વખતે સમ્યગ્દષ્ટિ, ચાર અનંતાનુબંધીના ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વગુણઠાણે જઈ બંધ આવલિકા પછી સમયમાત્ર જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે અને ચારે આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સમયે જ જઘન્યરસબંધ થાય છે. માટે ચારે આયુષ્યનો જઘન્યસ્થિતિબંધ કરનાર બંધાવલિકા વીત્યા બાદ સ્વ-સ્વ આયુષ્યની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે.
ઘણી અનુભાગ સત્તાનો નાશ કર્યો છે જેણે અને સત્તા કરતાં જ્યાં સુધી અલ્પ અનુભાગ બંધ કરે ત્યાં સુધી સૂક્ષ્મ તેઉકાય-વાયુકાય અથવા અન્ય એકેન્દ્રિય તેમજ બેઇન્દ્રિય વગેરે જીવો શેષ સત્તાણું પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે.
(૭) સાદ્યાદિ—મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાઘાદિ ભંગનો વિચાર કરવાનો છે. ત્યાં પ્રથમ મૂળપ્રકૃતિ આશ્રયી કહે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણનો અજઘન્ય અનુભાગ સંક્રમ સાદિ