Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
ઉદ્દલનાનુવિદ્ધ ગુણસંક્રમ થાય છે તેમજ ગુણ કે ભવ પ્રત્યય બંધ ન હોવા છતાં જે અવસ્થામાં જે પ્રકૃતિઓની ઉદ્ઘલના થાય છે ત્યાં તે પ્રકૃતિઓનો વિધ્યાત સંક્રમ હોતો નથી.
૪૧૮
મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી સોળ પ્રકૃતિઓમાંથી નરકાયુ તથા મિથ્યાત્વ વિના (નરકદ્ધિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હુંડકસંસ્થાન, સેવાર્ત સંહનન અને નપુંસકવેદ.) ચૌદનો સાસ્વાદનથી, સાસ્વાદને બંધ વિચ્છેદવાળી પચીસમાંથી તિર્યંચાયુ વિના (તિર્યંચદ્વિક, દૌર્ભાગ્યત્રિક, થીણદ્વિત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, અશુભવિહાયોગતિ સ્ત્રીવેદ, ઉદ્યોત અને નીચ ગોત્ર) ચોવીસનો મિશ્રથી, ચોથે ગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી દશમાંથી મનુષ્યાયુ વિના (અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, મનુષ્યદ્ધિક ઔદારિકદ્ધિક અને પ્રથમ સંઘયણ) નવનો દેશવિરતિથી, ચાર પ્રત્યાખ્યાનીય કષાયનો પ્રમત્તથી, પ્રમત્તગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી (અરતિ, શોક, અસ્થિરદ્ધિક, અયશ અને અસાતાવેદનીય) છ પ્રકૃતિઓનો અપ્રમત્તથી, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ થનાર નામકર્મની ત્રીસ પ્રકૃતિઓમાંથી ઉપઘાત વિના શેષ (ત્રસનવક, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છ્વાસ, દેવદ્વિક, વૈક્રિયદ્ઘિક, આહારકદ્ધિક, તૈજસ, કાર્પણ, સમચતુરસ્રસંસ્થાન, શુભવિહાયોગતિ, તીર્થંકરનામ અને પંચેન્દ્રિયજાતિ) ઓગણત્રીસ પ્રકૃતિઓનો અપૂર્વકરણના સાતમા ભાગથી, ચોથા ગુણસ્થાનકથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો તથા સાતમી નરકમાં પ્રથમ ગુણસ્થાનકે ઉચ્ચ ગોત્ર અને મનુષ્યદ્વિકનો વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે. એમ ગુણના નિમિત્તથી કુલ નેવ્યાશી (૮૯) પ્રકૃતિઓનો વિધ્યાત સંક્રમ થાય છે.
તેમજ ઈશાન સુધીના દેવોમાં ભવપ્રત્યયિક બંધ નથી જેઓનો એવી (દેવદ્ધિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, નરકદ્વિક સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક એ) ચૌદનો, નરકગતિમાં તેમજ સનત્કુમારથી સહસ્રાર સુધીના દેવોમાં (ઉપરોક્ત ચૌદ તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ) સત્તરનો, આનતાદિ દેવોમાં (પૂર્વોક્ત સત્તર તેમજ તિર્યંચદ્ધિક અને ઉદ્યોત એ) વીસનો, તેમજ યુગલિકમાં (છ સંઘયણ, પ્રથમ વિના પાંચ સંસ્થાન, નપુંસકવેદ, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્વિક, નરકદ્ધિક ઔદારિકદ્ધિક, સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, અશુભવિહાયોગતિ, દૌર્ભાગ્યત્રિક, નીચ ગોત્ર અને આતપ એ) ચોત્રીસનો વિધ્યાત સંક્રમ હોય છે.
એમ દેવ-નારક અને યુગલિકોમાં (નપુંસકવેદ, નીચ ગોત્ર, ચાર ગતિ, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, છ સંઘયણ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, ચાર આનુપૂર્વી, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર ચતુષ્ક અને દુર્ભાગ્યત્રિક) સર્વ મળી આ એકતાળીસ પ્રકૃતિઓનો ભવપ્રત્યયિક વિધ્યાત સંક્રમ થાય છે. પરંતુ ઉપર બતાવેલ ગુણપ્રત્યયિક વિધ્યાત સંક્રમવાળી નેવ્યાશી (૮૯) પ્રકૃતિઓમાં આ એકતાળીસ (૪૧) પ્રકૃતિઓ આવી ગયેલ હોવાથી જુદી નથી. તેથી નેવ્યાશી પ્રકૃતિઓનો વિધ્યાત સંક્રમ થાય છે.
તેમાં નપુંસકવેદાદિ એકતાળીસ પ્રકૃતિઓનો ગુણપ્રત્યયિક, ભવપ્રત્યયિક એમ બન્ને પ્રકારનો અને અડતાળીસ પ્રકૃતિઓનો કેવળ ગુણપ્રત્યયિક વિધ્યાત સંક્રમ હોય છે અને પ્રથમ ગુણસ્થાનકે જો જિનનામની સત્તા હોય તો ત્યાં પણ તેનો વિધ્યાત સંક્રમ થાય છે....તેમજ સાતમી નરકના મિથ્યાર્દષ્ટિ નારકોમાં મનુષ્યદ્ધિક તથા ઉચ્ચ ગોત્રનો ગુણપ્રત્યયિક બંધ ન હોવાથી